SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ FRIDAY 21TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૭ શુક્રવાર તા. ૨૧ કી મે સને ૧૯૧૫ મુ તા. ૬ જબ સને ૧૩૩૩ ઉ. -૯ અ. ૬-૩૧ પા. ર.૧૨ આદર ને ૧૨૨૪ નાવ્યો પાસે પ્રતિદિન ઘણી યાદી તારી કરાતી. એથી ઝાઝું નહિ નહિ થે દેખ હારી જ છાતી. આસું સારે પરવશપણું મોહથી હોય દેખો. શું શું કીધું હૃદય ઊતરો જ્ઞાનથી પૂર્ણ પંખો. – ૧ અંધારામાં સહુ અડ વડે દેખતું ના ખરું શું ? ઊંધે મોહે નહિ મન ધરે કૃત્ય તો હું કરું શું ? જો જાણે તો નહિ જગ વિષે ચેન તેને પડે રે. આશાથી તે પ્રતિદિન ખરે ચિત્તમાં ના રડે રે. – ૨ હારા ચિત્તે ખટ પટ થતી કાર્ય ચિન્તા વડે રે. કેવી રીતે પ્રગતિ પથમાં શક્તિઓ સાંપડે રે. ભાવી ચિન્તા કદિ નહિ કરો સ્વાધિકારે રહીને. થાશે સારું હૃદય ગત એ ભાવનાને વહીને. – ૩ હારા મિત્રો અનુભવ વિષે પૂર્ણ ના તેહ જાણે. હોંચે ત્યારી પ્રગતિ પથમાં ઉન્નતિભાવ આણે. થાવાનું તે સહજ બનશે સગુરુ ભક્તિ ભાવે. ધર્મ ત્યારે શુભ પથ વિષે શ્રેય છે પૈર્ય દાવે. – ૪ ઇચ્છા ત્યાં તો પથ જગ થતો દેખશે એ જ દેખી. આત્મ શ્રદ્ધા બહુ બલ વડે પેખશો એજ પેખી. સૌનું દેખો અડી નહિ પડે થાય છે જે થવાનું. સારું સૌ છે જગ સહુ થયું ને થશે જેહ છાનું. – ૫ જે જે ફર્જ તવ શિર રહી તે બજાવી જ લેવી. આનન્દી થૈ જગત વિચરી શાન્તિથી ફર્જ છેવી. ધર્મે નક્કી જગત જય છે સગુરુના પ્રતાપે. સોહં સોહં હૃદય રટના શિષ્યને પૂર્ણ વ્યાપે. થાતો ના તું અવની તલમાં શોકે ચિન્તા પ્રસંગી. થાતો ના તું અવની તલમાં મોહથી ખૂબ રંગી. રાગ દ્વેષ વિવિધ વિષયે મોહમાં ના ફસાતો. સૌમાં રહીને સહુથી અળગો થાવ ના બાહ્ય રાતો. - ૭ સોહં સોહં હૃદય ઘટમાં જાપ જપજે મજાનો. છાતા ની ને “બ્રહ્મજ્ઞાનથી કંઈ આત્મશક્તિનો પ્રકાશ થતો નથી, આત્મજ્ઞાનથી જ આત્મશક્તિનો પ્રકાશ થાય છે. આત્મજ્ઞાનની તીવ્રદશા જ ચારિત્ર છે અને તેથી કર્મનો ક્ષય થઈ જાય છે.” - $ 166 –
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy