________________
STUNDAY 27TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૧ શનીવાર તા. ૨૭ મી માર્ચ સને ૧૯૧પ. મુ. તા. ૧૨ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૫૬ અ. ૬-૪ પા. રે. ૧૭ મેહેર સને ૧૨૨૪
ભોંયણી મલ્લિનાથસ્તવન – રાગ પ્રભાતી મુજને મળ્યા મલ્લિનાથજી – જ્ઞાન દર્શનધારી. શક્તિ અનંતી સાહિબો – ભોક્તા નિજ ગુણભારી – મુજને – ૧ અજરામર અરિહંતજી – લોકાલોક પ્રકાશી – અલખ અગોચર આત્મતા – વિશ્વાનન્દ વિલાસી – મુજને – ૨ દર્શન દીઠાં દિલમાં - જ્યોતિ જ્યોત મિલાવી. સર્વ તેજનું તેજ જે – ચાતુરી થઈ ચાવી – મુજને – ૩ પરમ પ્રભુ પરમાતમા – સમતાસાગર સાચા – અન્તર્યામી અનાદિથી – કોઈ વાત ન કાચા – મુજને – ૪ મેળ મળ્યો મન માનીતો – બીજું રહ્યું કોન બાકી નિરખતાં નયનો નયનને – તારોતાર જ્યાં તાકી – મુજને – ૫ ભાગી ભાવટ સહભવતણી – ચિદાનન્દ થયો ચાવો. બુદ્ધિસાગરભાવથી – ગાયો મેળ વધાવો – મુજને ૭
“અનુભવ આત્મિક સુખનો આવે, ત્યારે જડરસ રૂચિ વિણસાય, અનુભવ આવ્યા પામ્યા વણ કો, બ્રહ્મ રસીલો નહી ગણાય.”
a 100
-