SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. તેનાથી બીજી રીતે ધર્મ નથી,વળી “જેઓ પરલોકના ભયથી હિંસા વિગેરે કરતા નથી, તેઓ માંસ મંદિર વિગેરે નથી વાપરતા તે મનુષ્ય જન્મના ફળથી વંચિત રહે છે, પણ તમે સારું કર્યું કે અમને સાચો માર્ગ બતાવ્યો છે. શ્રમણ હે બ્રાહ્મણ ! શરીરથી જુદો જીવ નથી આ તમારું ધર્મ કથન અમને બહુ ગમે છે હે આયુશ્મન (પૂજ્ય)? તમે અમારો ઉદ્ધાર કર્યો, નહિ તે અમને કાપડી વિગેરે એ ઠગ્યા હતા? માટે અમે તમને પૂજીએ છીએ હું પણ તમને કંઈ થડે બદલો આપું, એમ કહીને ખાવાનું પીવાનું મિષ્ટાન્ન તથા સ્વાદિષ્ટ વસ્તુઓ વસ્ત્ર પાત્ર કાંબળે પાદ પુંછન વિગેરે આપે છે. આ પ્રમાણે પૂજાની મહત્વતા માટે કેટલાક ત્યાગીને. વેષ પહેરી રાજસભામાં રાજાને પ્રતિબંધ પમાડે છે, અને ધીરે ધીરે તેને પિતાના મતમાં યુકિતઓ ઘટાવીને હિત અહિત લેવું છોડવું સમજાવીને તેમને પકા ધર્મવાળા બનાવી દે છે, તેમના હૃદયમાં ધીરે ધીરે ઠસાવે છે કે યાદ રાખો કે” તેજ શરીર તેજ જીવ એ ન ભૂલે, અને જીવ જુદે શરીર જુદું એ તદન ભૂલી જાઓ” તેનાં અનુષ્ઠાન પણ તેવાંજ કરાવાનું બતાવી આગ્રહી બનાવે છે, - વળી જેઓ ભાગવતમતના પરિવ્રાજક (બાવા) વિગેરે છે, પછી તેઓ કાયતિકે (હાલના વામમાગીએ) ના ગ્રંથને સાંભળીને તે મતમાં વિષય લેલુપતાથી ભળેલા તેઓ પૂર્વે દીક્ષા લેતી વખતે જાણે છે કે –
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy