SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ------------ ૧૯૮] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. બતાવેલું જાણવું તેમ અહીં પણ રહી ગયેલું જુદું ઉત્તરગ્રંથ (પછીના સૂત્રોમાં બતાવે છે, (ચ-બધા વિષયને સંબ ધ બતાવે છે, શું–વાક્યની શોભા માટે છે, જે જ્ઞાન વડે પુરૂષ શોધાય તે પુરુષ વિચય કે પુરૂષ વિનય છે તે પુરૂષના અલ્પ જ્ઞાનથી મંદ બુદ્ધિવાળા જે ઉપર તે વિજય મેળવે છે (ડગે છે)તે વિલંગ જ્ઞાન જે અવધિ જ્ઞાનનો મવિન અંશ છે, તેમ આપણા લેકેને ધુતવાને જ્ઞાનને દુરૂપયોગ છે, તેને પુરુષ વિચય વિભંગ (ધૂતવાને ધંધ) કહે છે તે બતાવિશું, (તેમનાથી ન ઠગાવું તે ઉપદેશ છે) તે કેવી રીતે કોને ઠગે છે, તે બાબતેને થોડામાં સમજાવશે, આ જગતમાં મનુષ્ય ક્ષેત્રમાં અથવા સિદ્ધાન્તમાં જ્ઞાનના ક્ષય ઉપશમથી વિચિત્રતાવાળી પ્રજ્ઞા (બુદ્ધિ) હોય છે, તે નાના (અનેક પ્રકારની) પ્રજ્ઞા છે, તેથી અ૫ (ડ) અલ્પતર (વધારે છેડી) અલ્પતમ (સૌથી થોડી) બુદ્ધિવાળાના ભેદ પાડીએ તે છે ભેદ પડે છે, (ત્રણ ઉપર બતાવ્યા અને ત્રણ આ પ્રમાણે વિશેષ વિશેષતર વિશેષતમ એટલે ઘણી તેથી વધારે સૌથી વધારે બુદ્ધિવાળા જાણવા) - છેદ-(અભિપ્રાય-રૂચિ-આકાંક્ષા) જુદા જુદા હોવાથી તેવાઓનું ચિત્ત તેવી રીતે ગુંચવાયેલું હોય છે તે નાના છંદવાળા છે તેમ શીલ (આચાર-વર્તન) પણ જુદાં જુદાં હોય છે, તથા દષ્ટિ અંતઃકરણની પ્રવૃત્તિ-ધર્મ સંબંધી મંતવ્ય છે તે બધાં ત્રણસો ને સાઠ ભેદમાં બતાવેલ છે,
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy