SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [૧૮૩ કહે, તે પણ પ્રાયશ્ચિત્તનું તપ જે આવે, તે ચાંદ્રાયણ વિગેરે તપ કરતું નથી, તેથી આ માયાવી પાપ છુપાવનારો એક વાર પાપ પકડાતાં જૂઠે ગણાય છે તેમ ફરીથી તેને કઈ વિશ્વાસ કરતું નથી, તે બતાવે છે. माया शीलः पुरुषः यद्यपि न करोति किंचिदपराधं सर्वस्याविश्वास्यो भवति तथा प्यात्मदोषोपहतः ॥ १॥ કપટી પુરૂષ જો કે, અપરાધ ન કરે તે કાંઈ બધાને અવિશ્વાસી, થાય પૂર્વ દોષે હણાઈ. વળી આ કપટી ઘણું કપટ કરવાથી પરકમાં બધાં પીડાનાં અધમ સ્થાને જે નરક તિર્યંચ વિગેરેનાં છે, ત્યાં જન્મ લઈને વારેવારે કુવાના અરટની માફક દુઃખ ભેગવે છે. વળી પિતે કપટી હોવાથી ગુનેગાર છતાં પણ જુદા જુદા પ્રપંચથી બીજાઓને ઠગીને બીજાને નિંદે છે, જેમકે “આ અજ્ઞાન પશુ જેવો છે, તેનાથી આપણું શું પ્રયજન (ભલું) થવાનું છે? આ પ્રમાણે પરને નિંદી પિતાની પ્રશંસા કરે છે, જેમકે “મેં આવા હોશીયારને પણ ઠ” એમ ઠગીને ખુશ થાય છે. કહ્યું છે કે येनापत्रपते साधु रसाधु स्तेन तुष्यति જેથી ઠગાય છે સાધુ તેથી કુસાધુ ખુશ છે, આ પ્રમાણે કપટ સાધુ ફાવી જતાં વધારે ધીઠાઈથી તેવા પાપ કરનારો થાય છે, તેમાંજ વૃદ્ધ થઈને કપટને
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy