SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કોમળ પરિણામ હોવાથી તેને દેશવિરતિ કહેવાય, સાધુની સર્વ વિરતિ હોય, સર્વ વિરતિ કરતાં તેને વિશેષ કર્મ બંધ હૈય, પણ કમળ પરિણામ હોવાથી તથા સાધુઓની સાધુતાને નિભાવવા દરેક પ્રકારે તે સહાયક તથા અનુમોદક હેવાથી તેને કર્મ બંધ ઓછું થાય છે, એટલે દેશવિરતિને પણ અહીં મેક્ષમાર્ગને આરાધક કહ્યો, ચોથું ગુણસ્થાન જેમાં સર્વથા વિરતિ ઉદય ન આવેતેવા દેવતા નારકી કે નિયાણું કરી જન્મેલા વાસુદેવ વિગેરે મેક્ષમાં ન જાય, તેમ દેવતા પણ ન થાય, છતાં જો શ્રદ્ધા મેલમાં રહે ભવાંતરમાં પણ મેક્ષમાં જાય, એટલે તે આરાધક છે, પણ જેઓ મેક્ષમાં શ્રદ્ધા રાખતા નથી, અથવા યથાર્થ રીતે મેક્ષનું સ્વરૂપ સમજ્યા નથી, સમજવાને અભ્યાસ રાખતા નથી, અથવા સમજવા છતાં પિતાને હઠ કદાગ્રહ મુકતા નથી, તેવા બાકીના જેવો પ્રથમ ગુણસ્થાને છે, તેઓની સઘળી ક્રિયા સંસાર ભ્રમણ માટે છે, કોઈજીવ ભદ્રક હોય ગુણાનુરાગી હોય સાધુતા કે મેક્ષ ઉપર સહેજ પણ ભાવ ધરાવે, તે તે માર્ગાનુ સારી થાય છે, પણ સુસંગતિ અને કુસંગતિને હજુ તેને વિવેક નથી, એટલે મન અસ્થિર રાખે છે. આ અધ્યયનમાં અહિંસાને પ્રધાન ગણી તેમાં લક્ષ રાખી મેક્ષ મેળવવાનું બતાવ્યું છે.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy