SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા. કારણ કહે છે, કે તે બુદ્ધિમાન જાણે છે કે પૂર્વ બતાવ્યા પ્રમાણે ક્ષેત્ર ઘર સોનું ચાંદી શબ્દ વિગેરે બધું મારા દુ:ખમાં રક્ષણ કરવા સમર્થ નથી, તે બધું બાહ્ય છે, વળી હવે બતાવશે તે સગાંવહાલાં પણ મારાં નથી, મા બાપ ભાઇ એન સ્ત્રી પુત્ર દીકરી નેકર દોહિત્રી છેાકરાની વહુ સુખા પ્રિય મિત્રો અને સ્વજનના પરિચય તથા ન્યાતિને હું પ્રથમ મારાં માનતા, અને તેમને પેાતાનાં ગણતા, પરસ્પર સહાય કરી હું પણ તેમને સ્નાન ભાજન વિગેરેથી જમાડી ઉપકાર કરીશ, આવા વિચાર તે મેધાવી કરતા, પણ હવે તે વિચારે છે કે મને જે વખતે અનિષ્ટ વિગેરે દુઃખ દેનારા રોગ આતંક આવે તે! હું તે સગાંને કહું કે આ મારા રાગ તમે લે, અથવા હું તેનાથી પીડાઉં છું, માટે તમે આ દુ:ખથી મને છેડાવા, પણ આવું જ્ઞાન પૂર્વે મને નહાતુ કે તે મા મને આ દુ:ખથી ન મુકાવી શકે, તેમ તેમના રોગ કે ભયમાં હું તેમને સુકાવા અસમર્થ છું, કે લેવા અસમર્થ છું; હું વિચારૂ કે તે સગાં દુ:ખ ન ભોગવે, તાપ ન પામે, ખેદ ન પામે, માટે હું તેમને દુ:ખથી છોડવુ, પણ આવું પણ મને જ્ઞાન નહતું કે હું તેમાં અસમર્થ છું, હવે જાણ્યું કે अन्नस्स दुक्खं अन्नोन परियाइयति, अन्त्रेण कडं अन्नो नो परिसंवेदेति, पत्तेयं जायति.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy