SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [૩૪૧ જે ચિત્તમાં શંકા-સંશય થાય તે કેવળજ્ઞાનથી દૂર કરે છે, એના જેવા બીજા બધા નથી, આવા સર્વજ્ઞો જેનદર્શન સિવાય બીજે ગમે ત્યાં હતા નથી. ટી. આજે ચાર ઘાતિકર્મને અંત કરનાર કેવળજ્ઞાની છે તે આવા હોય છે તે બતાવે છે. વિચિકિત્સા-ચિત્તમાં વિકલ્પ–સંશયજ્ઞાન જેને છે તેનું તે આવરણ ક્ષય થવાથી તેને નાશક છે તેથી તેને જ્ઞાન ઉત્પન્ન થતાં સંશય વિપચય અને મિથ્યાજ્ઞાનને અવિપરીત અર્થને પરિચ્છેદ કરવાથી અંતે વર્તે છે. (અર્થાત્ સાચેસાચું સમજે છે) તેને સાર આ છે તેમાં દર્શનાવરણય કર્મને ક્ષય બતાવવાથી જ્ઞાનથી દર્શન જુદું છે તે બતાવ્યું છે તેથી જેમને આગ્રહ છે કે એકજ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય અને વિશેષરૂપે વસ્તુમાં રહેલ છે તે બન્નેને પોતાની જ્ઞાનની અચિત્ય શક્તિ હોવાથી તે બંનેને પરિચ્છેદક (જાણુ) છે એ જેમને અભ્યપગમ (સ્વીકાર) છે તેમાં આચાર્યો આથી પૃથક આવરણ ક્ષય પ્રતિપાદન કરવાથી તેમનું ખંડન કરેલું જાણવું. (સિદ્ધસેન દિવાકર ન્યાયના વેત્તા જ્ઞાન અને દર્શનના આવરણને ક્ષય સાથે માની જ્ઞાનદર્શન બંનેને સાથે ઉત્પન્ન થયેલાં માને છે અને જિનભદ્રગણિક્ષમાશ્રમણ સિદ્ધાંત રહસ્ય પ્રમાણે સમયાંતર માને છે તે સિદ્ધાંત પ્રમાણે ટીકાકારે સિદ્ધસેન દિવાકરનું ખંડન કર્યું સમજાય છે.) વળી જે ચારે ઘાતકોને ક્ષય કરે અને સંશય વિગેરે અપૂર્ણ જ્ઞાનને ઉલંઘી સંપૂર્ણ જ્ઞાન
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy