SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું વીર્ય અધ્યયન. ચ (અને અવ્યયથી ચારિત્ર મેહનીય નામનું કર્મ તેને ઉપશમ કે ક્ષયઉપશમથી જે આત્માને નિર્મળ ચારિત્ર ગુણ ઉત્પન્ન થાય તે અકર્મ છે. આવું સાધુઓને સુધર્મા સ્વામી સમજાવે છે કે તે સાધુઓ ! આવું પંડિત વીર્ય છે. આ બે સ્થાને વડે સકર્મક કે અકર્મકથી મેળવેલ બાલ વીર્ય કે પંડિત વયની વ્યવસ્થા વીર્યમાં થએલ. છે, (અર્થાત્ વીર્યના બે ભાગ પાડ્યા) અને આ બે વડે અથવા આ બે ભેદની વ્યવસ્થા (મૃત્યુને વશ થયેલામત્ય) માણ માં દેખાય છે કે કહેવાય છે, (દુરૂપયેગ કે સદુપયેગને વીવડે માણસે કરે છે. તે બતાવે છે કે જુદી જુદી કિયાઓમાં પ્રવર્તેલા માણસને ઉત્સાહ બળ યુક્ત જે તે લેકે કહે છે આ વીર્યવાન માણસ છે, એમ કહેવાય છે. તથા તે વીર્યને રેકનાર કર્મના ક્ષયથી અનંત બળ યુક્ત આ માણસ છે એમ કહેવાય છે, (અને આ સૂત્ર લખતી વખતે તેવા બળવાળા મનુષ્ય તરીકે કેવી ભગવાન મહાવીર જેવા નજરે દેખાતા હતા તેને આશ્રયી શાસ્ત્રકાર કહે છે કે, આ નજરે દેખાય છે, અહીં બાળ વીર્યને કારણમાં કાર્યને ઉપચાર કરવાથી વીર્યપણે કર્મ જ કહ્યું છે, હવે કારણમાં કમનાં ઉપકારથીજ પ્રમાદને કર્મ તરીકે બતાવે છે. पमाय कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं। तभावादेसओवावि, बालं पंडियमेव वा ॥सू.३॥
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy