SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ mom ૨૫૬] સૂયગડાંગ સૂત્ર ભાગે ત્રીજે. - વીતરાગે કહેલે નિર્દોષ માર્ગ તેને મરડી અવળો અર્થ કરે છે, અને પિતાની મતિ કલ્પનાએ ધર્મને દૂષણે આપે, તે સાધુ ઉતમ ગુણોનું અભાજન થાય છે. અર્થાત્ તેને ઉત્તમ ગુણે પ્રા થતા નથી, કારણ કે તે વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને જૂઠું બોલે છે, વળી વિવિધ પ્રકારે શોધેલ અર્થાત્ કુમાર્ગ વાળે કરેલી શંકાનું નિવારણ કરી નિર્દોષ બનાવેલે સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રરૂપ મેક્ષમાર્ગ છે, તેને પણ ગષ્ટામાહિલ માફક પૂર્વાચાર્યે કહેલા અર્થને મરડીને પિતાની બડાઈ બતાવવા પિતાની ઈચ્છા પ્રમાણે મનગમતી વ્યાખ્યા કરીને લેકને ભૂલાવામાં પાડીને અર્થ મરડીને કંઈને બદલે કંઈ કહી દે છે, કારણ કે સૂત્રના ગંભીર રહસ્યને પૂર્વના અશુભ કર્મના ઉદયથી સમજતા નથી, તેથી પોતે પંડિત માની લઈને ઉત્સવ પ્રરૂપે છે, આ પિતાની સ્વેચ્છાથી પૂર્વાચાર્યને અર્થ મરડતાં અનર્થને માટે થાય છે તે કહે છે. પિતે ગમે તે અર્થ કરવાથી અરથાનિક તે બહુ પુરૂષને અમાન્ય થાય છે, તેથી જ્ઞાનાદિ ગુણેને પોતે અભાજન થાય છે ભણનારામાં. આટલા ગુણો હોય છે. પ્રથમ ગુરૂ ભણાવનાર કહે છે, તે સાંભળે. પછી પ્રશ્ન કરે, તેને ઉત્તર સાંભળે તે કાનમાં ગ્રહણ કરે, પછી તર્ક કરે સમાધાન થતાં નિશ્ચય કરે, અને ધારી રાખે અને તે પ્રમાણે વર્તે.
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy