SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧૨ ] જતિષી વૈમાનિક દેવદેવીઓના આવવાથી આકાશમાં એક મહાન દિવ્ય પ્રકાશ અને કેળાહળ થયે. અને તે સમયે દેવદેવીઓએ આવીને સુગંધી જળ, સુગંધી વસ્તુ, ચુર્ણ ફુલ સોનારૂપાની અને રત્નની વૃષ્ટિ કરી. જે રાત્રીએ ભગવાન જમ્યા તે સમયે દેવદેવીએ મને હાવીર પ્રભુનું જન્મ સંબંધી સૂતિકર્મ વિગેરે કર્યું અને મેરૂપર્વત ઉપર પ્રભુને લઈ જઈને જન્માભિષેક કર્યો. વળી પ્રભુ માતાના ગર્ભમાં હતા તે સમયે પ્રભુના પુદયથી દેવતાએ તેમના માતાપિતાના ઘરમાં નવારસીયું ધન લાવીને નાખ્યું તથા બીજી દરેક રીતે માતાપિતાનું ધન, એનું ચાંદી રત્ન શંખ માણેક મોતી પરવાળાં બધી રીતે વધ્યાં, તેથી પૂર્વે કરેલા વિચાર પ્રમાણે પુત્ર જન્મનું દસ દિવસનું સૂતિ કાર્ય કર્યા પછી બારમે દિવસે ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિરા જ્ઞાતિ સ્વજન તથા સંબંધી વર્ગને બેલાવીને તથા શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુક વિગેરેને તથા આંધળાં પાંગળાં વિગેરે દરદીઓને બેલાવી તેમને ઈચ્છિત આપીને મને સંતુષ્ટ કરીને માતાપિતા એ બધાંની સમક્ષ પિતાના પુત્રનું નામ તેના ગુણ પ્રમાણે એટલે આ પુત્ર વૃદ્ધિ કરનાર છે એવું અનુભવેલું અને વિચાર કરી રાખ્યા પ્રમાણે જાહેર કરીને વર્ધમાન રાખ્યું, ત્યારપછી મહાવીર પ્રભુ માટે દુધ ધવરાવનાર સ્નાન કરાવનાર શણગાર કરાવનાર ખેલાવનાર ખળામાં બેસાડનાર એવી પાંચ ધાવમાતાઓ રાખી અને
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy