SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦૧] " णाणस्स होइ भागी थिरयरओ देसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुञ्चन्ति ॥१॥" જ્ઞાનને ભાગી થાય, શ્રદ્ધા અને ચારિત્રમાં સ્થિર ચિત્તવાળો થાય, આવાં કારણોથી જેઓ ગુરૂકુળવાસ નથી મુકતા, તેવા પુરૂષને ધન્ય છે. આવી જ્ઞાનની ભાવના જાણવી. હવે ચારિત્રની ભાવના કહે છે. साहुमहिंसाधम्मो सच्चमदत्तविरई य बंभ च । साहु परिग्गहविरई साहु तवो बारसंगो य॥ ३३८ ॥ वेरग्गमप्पमाओ एगत्ता (ग्गे) भावणा य परिसंग। इय चरणमणुगयाओ भणिया इत्तो तवो वुच्छं ॥ ३३९ ।। અહિંસાદિ લક્ષણવાળ જૈનધર્મ શ્રેષ્ઠ છે. આ પહેલા, વ્રતની ભાવના છે તથા આ જિનેશ્વર વચનમાં નિર્મળ સત્ય છે તેવું બીજે નથી. આ બીજા મહાવ્રતની ભાવના છે. ત્રીજા વ્રતની ભાવનામાં અહીં પારકે માલ ન લેવાનું બરબર બતાવ્યું છે, ચોથા મહાવ્રતની ભાવનામાં બ્રહ્મચર્યની નવવાડે પાળવાનું અહીં બતાવ્યું છે, પાંચમાં મહાવ્રતની ભાવનામાં જરૂરનાં ઉપકરણ સિવાય પરિગ્રહનું ત્યાગપણું સર્વોત્તમ. જિન વચનમાં બતાવ્યું છે. બાર પ્રકારને તપ પણ અહીં ઇદ્રિના વિજય માટે તથા કર્મો ખપાવવા માટે અહીં બતાવ્યું છે. A 1 -
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy