SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૯ ] ગ્રહણને વિધિ બતાવ્યું અને તે પિંડ (આહાર પાણી) લઈને જ્યાં ગૃહસ્થ ન હોય તેવા સ્થાનમાં વાપરવું. તેથી તે સ્થાનના ગુણ દોષ બતાવવા આ બીજું અધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારે કહેવા, તેથી નામ નિષ્પન્ન નિક્ષેપમાં “શા એષણા” નામ છે, તેના નિક્ષેપ કરવામાં “પિકૅષણ નિયુક્તિ” જ્યાં સંભવે ત્યાં ટુંકાણમાં પ્રથમ ગાથા વડે અને બીજી એષણાઓની નિર્યુકિતઓને યથાગ સંભવતી બીજી ગાથા વડે પ્રકટ કરીને ત્રીજી ગાથા વડે “શય્યા” શબ્દના “છ નિક્ષેપા”ના વિચારમાં નામ સ્થાપના છોડીને નિયંતિકાર કહે છે. दव्वे खित्ते काले भावे, सिज्जाय जा तहिं पगयं केरिसियासिज्जा खलु संजय जोगत्ति नायव्वा* ? ॥२९८॥ દ્રવ્ય શય્યા ક્ષેત્ર શય્યા કાળ શમ્યા અને ભાવ શય્યા એ ચાર પ્રકારે શય્યા છે, તેમાં દ્રવ્ય શય્યાની જરૂર છે, તેથી સંયતોને કેવી શય્યા યોગ્ય છે. તેજ હવે બતાવશે. દ્રવ્ય શચ્યાની હવે વ્યાખ્યા કરે છે. * છાપેલા આચારાંગના સંરોધકથી બીજા સ્કંધના ૧ લા અધ્યયનની નિર્યુક્તિની નકલ કરતાં આંકડાની ભૂલ થઈ છે. એટલે ટીકાકારના ત્રણ ગ્લૅક સાથે લેતાં નિર્યુક્તિની ગાથાના ૧૬ આંક આવેલ છે, પણ ખરી રીતે નિર્યુક્તિકારની કૃતિ પ્રમાણે ગણતરી ના આંકડાથી ગાથાઓ ગણતાં ૨૮૫ થી ગણતાં ર૯૭ આવે છે તેથી બીજા અધ્યયનમાં આંક ૨૯૮ ને જોઈએ તે મળી રહે છે.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy