SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મમાં વર્તતા સાધુને શું ખેલાયમાન કરે? અર્થાત્ તેવા ઉત્તમ સાધુને અરતિ મેક્ષમાં જતાં જતાં અટકાવી શકે કે? ઉ હા દુર્બળ અને અવિનય વાળી ઇક્રિય છે. તેને અચિંત્ય મોહ શક્તિ અને વિચિત્ર કર્મ પરિણતિ શું ન કરે ? (અર્થાત્ કુમાર્ગે લઈ જાયજ) કહ્યું છે કે"कम्माणि गुणं घणचिक्कणाइ गरुयाइं वइरसाराई। 'णाणढिअंपि पुरिसं पंथाओ उप्पह णिति ॥१॥" નિ કર્મ ઘણાં ચીકણું વધારે પ્રમાણમાં વાસાર જેવાં ભારે હોય તે, જ્ઞાનથી ભૂષિત હોય, તેવા પુરૂષને પણ સારા માર્ગથી કુમાર્ગે લઈ જાય છે. અથવા આક્ષેપમાં આ “વિમ” શબ્દ છે તેને પરમાર્થ આ છે કે, અતિ તે ઉત્તમ સાધુને ધારી શકે છે? ઉ. નજ ધારી શકે. કારણકે, આ ઉત્તમ સાધુ ક્ષણે ક્ષણે વધારે વધારે નિર્મળ ચારિત્રના પરિણામથી મોહના ઊદચને રોકેલે હેવાથી લઘુકર્મવાળે છે, તેથી તેને અરતિ કુમાર્ગે ન દેરી શકે; તે બતાવે છે. ક્ષણે ક્ષણે વિનાવિલંબે સંયમસ્થાનના ચડતા ચડતા કંડકને ધારણ કરેતે સમ્યગપ્રકારે ચારિત્ર પાળતા રહ્યા છે. અથવા, ચડતા ચડતા ગુણસ્થાનને પહો તે યથાખ્યાત-ચારિત્રના સંમુખ જતું હોવાથી તેને અરતિ કેવી રીતે અટકાવી શકે ? (ન અટકાવે.) અને આ સાધુ પિતાના આત્માને જ અરતિથી રક્ષણ કરનાર છે, એમ નહીં પણ બીજાઓની પણ અરતિ દૂર
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy