SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) તેમાં મૂળ પ્રકૃતિને બંધ જ્ઞાન આવરણીય વિગેરે આઠ . પ્રકારે છે, અને ઉત્તર પ્રકૃતિને બંધ જુદે જુદે છે, તે બતાવે છે. જ્ઞાન આવરણીયના પાંચ ભેદ છે. મતિ શ્રત અવધિ મન પર્યાય તથા કેવળ એમ પાંચ ભેદે જ્ઞાન છે. તેનું આ વરણ કરનાર સર્વ ઘાતી ફક્ત કેવળ જ્ઞાનનું છે. અને બાકીના ચારનાં આવરણ દેશઘાતિ અથવા સર્વદ્યાતિ છે.. દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે છે. તેમાં પાંચ પ્રકારની નિદ્રા તથા ચાર પ્રકારનું દર્શન. તેને અવિરણ કરનાર જાણવું. નિદ્રા પંચક છે. તે મેળવેલા દર્શનની લબ્ધિ તેના ઉપગને ઉપઘાત કરનાર છે, અને દર્શન ચતુષ્ટય તે દર્શન લબ્ધિની પ્રાપ્તિને જ આવરણ કરનાર છે. અહીંયાં પણ કેવળ દર્શનઆવરણ સર્વઘાતિ છે. બાકીના દેશથી છે. વેદનીયકર્મ સાતા અને અસાતા એમ બે ભેદે છે. મોહનીયકર્મ, દર્શનશાસ્ત્ર ભેદથી બે પ્રકારે છે. તેમાં દર્શન નમેહનીય મિથ્યાત્વાદિ ઉદયમાં આવતું ત્રણ ભેદે છે, અને બંધમાં તે એક પ્રકારે છે. ચારિત્રમેહનીય સેળ કષાય, નવ નેકષાય એમ પચીસ પ્રકારે છે. અહીંયાં પણ મિથ્યાત્વ, મેહનીય, તથા સંજવલન કષાય. છેવને બાર કષાયે સર્વઘાતિ છે, અને બાકીના દેશદ્યાતિ છે.. આયુષ્યકર્મ ચાર પ્રકારે છે. તે નારકાદિ ભેદવાળાં છે,
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy