SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ કવિ સહજસુંદરની રાસકૃતિએ પાન અને સુખ–સમૃદ્ધિ મળતાં રહેશે ત્યાં સુધી ઉપદેશની જરૂર રહેશે નહિ. તેથી મંત્રીશ્વરનો મદ ઉતારવા માટે તેમણે લીલાપૂર્વક રાજા મકરધ્વજને મંત્રીથી વિમુખ બનાવ્યા. રાજા દ્વારા અપમાનિત થયેલા મંત્રીનો તેનાં કુટુ ખીજનો – માતા, પિતા, પુત્રો, પત્ની વગેરેએ પણ અનાદર કર્યાં, અપમાનિત થયેલા તેતલિપુત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યાં, તે પણ નિષ્ફળ ગયા. આ સમયે પેટ્ટિલદેવે પોઢિલાના સ્વરૂપમાં હાજર થઈને સંયમધમ નો ઉપદેશ કર્યાં. સંયમવ્રત વડે સ ંસારસાગરને પાર કરી જવાનો મેધ આપ્યા. ઉપદેશના આ શુભ યાગથી તેતલિપુત્રને જાતિસ્મરણ થયું. પોતાનો પૂર્વજન્મ અને ચૌદેચૌદ પર્વનો કરેલો અભ્યાસ યાદ આવ્યો. તેણે મહાત્રતાનો સ્વીકાર કર્યાં અને પ્રમન ઉદ્યાનમાં અશાકવૃક્ષ નીચે બેસીને તપશ્ચર્યા કરવા લાગ્યા. શુલ યાગ અને કર્મોનો ક્ષય થવાથી તેને કેવલ'ન થયું. આ સમયે તેતલિપુર નગરની નજીકના દેવ. દેવીએ દુદુભી નાદ . પાંચ વર્ણનાં ફૂલોની વર્ષા કરી અને દિવ્ય ગાંધવ ગીતનો નાદ વર્ણવી કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir મકરધ્વજ રાજાને તેતલિપુત્રના કેવલજ્ઞાન સબધી વાત જાણવા મળી. તે તેતલિપુત્ર પાસે આવીને ક્ષમાયાચના કરવા લાગ્યા. તેતલિપુત્રના ઉપદેશથી તેણે પશુ સંયમધ' અંગીકાર કર્યાં અને ધર્મીનુ પાલન કરતાં કરતાં ‘અવિચલ ટામ'નો અધિકારી બન્યા. * For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy