SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ, ] આત્મજ્ઞાનાધિકાર. ૪૦ થી- ટીકાથે—કર્મની સાથે એટલે કર્મને યોગ્ય એવા પુગળરાશિની સાથે જીવનેા જે આશ્લેષ-સંબંધ તે અંધ કહેવાય છે. તે અંધ અપ્રધાન વૃત્તિથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારના છે. આ અંધ પણ આત્મા નથી. કેમકે કર્મના પુગળાસાથે કર્મના જ પુદ્ગળાના સંબંધ થઈ શકે છે. તથા ભાવથી તેા એટલે ચૈતન્યક્રિયાના સ્વભાવથી તે તે અંધના હેતુ-બંધને ઉત્પન્ન કરનાર અધ્યવસાય–રાગાદિક પરિણામ અને પરિણામીના અભેદ હાવાથી આત્માને જ અંધરૂપ કહેલા છે. ૧૬૬. શી રીતે ? તે કહે છે.- वेष्टयत्यात्मनात्मानं यथा सर्पस्तथासुमान् । तत्तद्भावैः परिणतो बभ्रात्यात्मानमात्मना ॥ १६७ ॥ મૂલાથે—જેમ સર્પ પોતાના દેહવડે પોતાના દેહને વીંટે છે, તેમ પ્રાણી પણ તે તે ભાવે કરીને પરિણામ પામ્યા છતા પેાતાના આત્માવડે જ પેાતાના આત્માને બાંધે છે. ૧૬૭. ટીકાથે—જેમ સર્પ પેાતાના દેહવડે કરીને પેાતાના દેહને વીંટે છે, તે જ પ્રકારે આત્મા (જીવ) પણ તે તે રાગાદિરૂપ ભાવે કરીનેપરિણામે કરીને પરિણમ્યા છતા આત્માવર્ડ-પોતાના પિરણામવડે આત્માને-પેાતાને મધે છે, એટલે વિશેષ પ્રકારના પરિણામથી ગ્રહણ કરેલા કર્મના રાશિવડે વીંટે છે. ૧૬૭. ફરીને દષ્ટાંત આપે છે.~~ बध्नाति स्वं यथा कोशकारकीटः स्वतन्तुभिः । आत्मनः स्वगतैर्भावैर्बन्धने सोपमा स्मृता ॥ १६८ ॥ મૂલાથૅ જેમ રેશમ કરનારો કીડો પોતાના તંતુઓવડે પોતાના દેહને ખાંધે છે, તેમ આત્માના પેાતામાં રહેલા ભાવે કરીને થતા અંધનને વિષે તે જ ઉપમા કહેલી છે. ૧૬૮. ટીકાથે—જેમ કાશકાર કીડો એટલે રેશમને ઉત્પન્ન કરનારા કીડા પેાતાની લાળરૂપી તંતુએ કરીને પેાતાના શરીરને બાંધે છે. તે જ પ્રમાણે જીવ પોતામાં રહેલા રાગાદિક પરિણામે કરીને પાતે બંધન પામે છે તેથી બંધન પામવામાં તે જ ઉપમા કહેલી છે. ૧૬૮. પર Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy