SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચ્યાત્મજ્ઞાનાધિકાર. સાથે કારણુ કે જીવ વિજ્ઞાન લક્ષણવાળા એટલે સામાન્ય અને વિશેષ ઉપયોગરૂપ વિશિષ્ટ જ્ઞાનના સ્વરૂપવાળા છે, અને કર્મને યોગ્ય એવા પુગળા એટલે અનંત પ્રદેશવાળા સ્કંધાને ગ્રહણ કરવા તથા તેના નિરોધ કરવા તે જ આશ્રવ અને સંવરના અનુક્રમે લક્ષણા છે. તેથી તે આશ્રવ અને સંવર આત્મા રૂપ થઈ શકતા નથી. કેમકે પુળાને ગ્રહણ કરવા કે ન કરવા, એ અનાત્મરૂપ જ છે. ૧૩૧. ફરીને જે આત્મસ્વરૂપવાળા છે, તેને દેખાડે છે.— आत्मादत्ते तु यैर्भावैः स्वतंत्र : कर्मपुद्गलान् । मिथ्यात्वाविरती योगाः कषायास्तेऽन्तराश्रवाः ॥ १३२ ॥ મૂલાથે—આત્મા જે પરિણામે કરીને સ્વતંત્રપણે કર્મપુળાને ગ્રહણ કરે છે, તે મિથ્યાત્વ, અવિરતિ, યોગ અને ક્ક્ષાયરૂપ પરિણામને આંતર્ ( આત્યંતર) આશ્રવ જાણવા. ૧૩૨. ટીકાથે—એમ સંભવે છે કે આત્મા જે પાતામાં રહેલા પરિણામે કરીને સ્વતંત્ર હતા એટલે પરની પ્રેરણા વિના જ કર્મને યોગ્ય એવા પુગળના સ્કંધાને ગ્રહણ કરે છે, તે પરિણામેા મિથ્યાત્વ-વિપરીત દૃષ્ટિપણું, અવિરતિ અનુપતિ, યોગ-મન, વચન અને કાયાના અશુદ્ધ વ્યાપારો તથા કષાયા એટલે ક્રોધાદિકના પરિણામે તરૂપે અંતર આશ્રવા એટલે જીવના પરિણામ રૂપ ભાા છે. તેમને વિષે આત્મા સંભવે છે. કેમકે તે પરિણામેા આત્માના ધર્મો છે. ૧૩૨. भावनाधर्मचारित्रपरीषहजयादयः । आश्रवोच्छेदिनो धर्मा आत्मनो भावसंवराः ॥ १३३ ॥ મૂલાથે—ભાવના, ધર્મ, ચારિત્ર અને પરીસહાના જય વિગેરે આશ્રવનેા નાશ કરનારા આત્માના ધર્મો છે તે ભાવસંવર કહેવાય છે. ૧૩૩. જે ટીકાથે—ઉપર કહેલા આશ્રવાના નાશ કરનારા જીવના જે જ્ઞાનાદિક સ્વભાવવાળા ધર્મો છે, તે ભાવસંવર એટલે શુદ્ધુ ઉપયોગરૂપ આત્યંતર સંવરા કહેવાય છે. તે ધર્માં ક્યા છે? તે કહે છે.-ભાવનાઅનિત્ય, અશરણુ વિગેરે આર પ્રકારની ચિંતના, ધર્મ-ક્ષમા, માર્દવ વિગેરે દશ પ્રકારના ધર્મ, સામાયિક વિગેરે પાંચ પ્રકારનું ચારિત્ર તથા ક્ષુધા તૃષા વિગેરે આવીશ પ્રકારના પરીસર્ડના જય તથા આદિ શબ્દે કરીને સમિતિ સુસિ વિગેરે, એ સર્વ ભાવસંવરા કહેવાય છે, તે આત્મારૂપ થઈ શકે છે. ૧૩૩. Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy