SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર. [ પંચમ મૂલાર્થ—જે અનાદિ શુદ્ધ વિગેરે શબ્દોવડે જેના ભેદ તે તે દર્શનને અનુસારે કલ્પેલા છે, તે પણ નિરર્થક છે, એમ હું માનું છું. ૭૦. ટીકાથે—જે એટલે જુદા જુદા દર્શનમાં પ્રસિદ્ધ એવા અનાદિ શુદ્ધ એટલે જેના આદિ-પ્રથમપણું અથવા આરંભકાળ કારણરૂપે નથી તેવા સહજ શુદ્ધ એ વિગેરે શબ્દોથી જે સર્વજ્ઞને ભેદ પાતપાતાના દર્શનને અનુસારે કપાયેલા છે, તે પણ નિરર્થક-નિષ્ફળ છે, એમ હું માનું છું, એટલે મારા મનમાં તર્ક કરૂં છું. અર્થાત્ જે અનાદિ શુદ્ધપણાએ કરીને, અકર્તાપણું કરીને, પ્રયત્નવડે કર્મના ક્ષય કરનારપણે કરીને અથવા કર્મના ફળને નહીં ભોગવવાપણે કરીને-ગમે તે રીતે સ્વીકાર કર્યા છતાં પણ જો તે શુદ્ધ સર્વજ્ઞ હાય, તેા તે સેવવા લાયક છે. ૭. ત્યારે દર્શનભેદ શી રીતે પ્રવાઁ ? આ શંકાને દૂર કરવા કહે છે.विशेषस्यापरिज्ञानाद्युक्तीनां जातिवादिनः । प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ॥ ७१ ॥ મૂલાથે—જાતિવાદીની યુક્તિઓના વિશેષને નહીં જાણવાથી પ્રાયે વિશધ આવવાને લીધે તથા ભાવથી ફળના અભેદ હાવાને લીધે દર્શનાના ભેદ થયેલા છે. ૭૧. ટીકાર્થ-જાતિવાદીની એટલે સામાન્ય વસ્તુવાદીની યુક્તિએના એટલે અર્થના નિર્ધાર કરનારા અનુમાનાદિક પ્રકારોના વિશેષને નહીં જાણવાથી પ્રાયે વિરોધ આવે છે એટલે સ્વમતના સદાપણાએ કરીને તથા વસ્તુધર્મના બાહુલ્યે કરીને વિપર્યાસ આવે છે, આ એક કારણને લીધે દર્શનના ભેદ થયા છે. તથા ભાવથકી એટલે માધ્યસ્થપાના પરિણામે કરીને સર્વજ્ઞપરના ભક્તિભાવથી ફળના અભેદ થાય છે એટલે ચાગી જનાને એક સાધ્યની સિદ્ધિ થવાથી અભિન્ન ફળ પ્રાપ્ત થાય છે, તેથી કરીને માર્ગની એકતા થાય છે. ૭૧. આપ્રમાણે શાથી કહે છે? તેપર કહે છે.— अविद्याक्केशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ॥ ७२ ॥ ભૂલાથે—જેથી કરીને વિદ્યા, ક્લેશ અને કર્મ વિગેરે ભવના કારણ છે, તેથી કરીને સંજ્ઞાના ભેદને પામેલું આ ભક્તિતત્ત્વ જ પ્રધાન છે. ૭ર. ટીકાથૅ—જેથી કરીને અવિદ્યા એટલે અજ્ઞાનના ફળવાળી માયા, ફ્લેશ એટલે મેાહના ફળવાળા રાગાદિકના સમૂહ, કર્મ એટલે સંસારના Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy