SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ અધ્યાત્મસાર ભાષાંતર. [ ચતુર્થ વિષે જળ લેવા માટે ઘડાનું સ્થાપન કરે છે, માટે તે કેાને હસવા લાયક ન થાય ? સર્વને હસવા લાયક થાય. ૧૫. કદાગ્રહી માણસ સૂત્ર તથા અર્થ ભણાવવાને અાગ્ય છે, તે કહે છે.—— अस हो यस्य गतो न नाशं न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्य कलंकितस्य प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ १६०॥ મૂલાથે—જે પુરૂષનો કદાગ્રહ નાશ પામ્યા ન હોય, તેને શાસ્ત્ર ભણાવવું પ્રશસ્ય નથી. કારણ કે વિકળતાએ કરીને કલંકિત થયેલા પુરૂષને મોટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય ગણાતી નથી. ૧૬૦. ટીકાર્બ જે દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષના કદાગ્રહ નાશ પામ્યા નથી, તેવા દુરાગ્રહીને અપાતું-ભણાવાતું શાસ્ત્ર પ્રશસ્ય-વખાણવા લાયક નથી. હું ભવ્ય પ્રાણી ! તું વિચાર કર કે વિકળતાએ કરીને કલંકિત થયેલા એટલે અંધપણું, અધિરપણું, કાયરપણું વિગેરે દૂષણેા વડે દૂષિત થયેલા પુરૂષને મોટી રાજ્યલક્ષ્મી આપવી એંમ યેાગ્ય નથી, તે જ પ્રમાણે કદાચહી પુરૂષને શાસ્ત્રનું દાન કરવું તે પણ યોગ્ય નથી. ૧૬૦. અહીં કોઈ શંકા કરે કે પરોપકારની બુદ્ધિથી કદાત્રહીને પણ શાસ્ત્રનું દાન કરવામાં ગે! દોષ છે? તે ઉપર કહે છે.—— आमे घटे वारि यथा धृतं सद्विनाशयेत्स्वं च घटं च सद्यः । असङ्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ १६९ ॥ મૂલાથે—જેમ કાચા ઘડામાં પાણી નાંખ્યું હોય તે તે પોતાના તથા ઘડાનેા તત્કાળ નાશ કરે છે, તે જ પ્રમાણે જેની બુદ્ધિ કદામહથી વ્યાપ્ત થઈ હેાય એવા પુરૂષને શ્રુતજ્ઞાન આપવાથી શ્રુત અને કદાગ્રહી એ બન્નેના નાશ થાય છે. ૧૬૧. ટીકાર્ય—ડે ભદ્ર ! તેમાં આ પ્રમાણે દેષ થાય છે.-જેમ કાચા માટીના ઘડામાં કોઈએ પાણી ભર્યું હેાય તે તે તત્કાળ પેાતાના (પાણીના) અને ઘટના અન્નનેા નાશ કરે છે, એટલે વિશેષે કરીને પાતાનેા (પાણીના) અને પેાતાના આધારના નાશ કરવામાં હેતુભૂત થાય છે, પણ તેથી કાંઈ પણ ઉપકાર થતા નથી. તે જ પ્રકારે દુરાગ્રહે કરીને જેની બુદ્ધિ લુપ્ત થઈ હોય તેવા પુરૂષને શાસ્ત્ર આપવાથી-ભણાવવાથી શાસ્ત્ર અને તેના આધાર (ભણનાર કદાયહી) એ બન્નેનેા નાશ થાય છે. તેમાં હીલના અને સન્માર્ગના ઉત્થાપનવડે ફળના અભાવને લીધે શ્રુતના Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy