SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થં ભૂલાથે—કારણ થકી તથા કાર્યને વિષે વાસનાના સંક્રમ થકી સ્મૃતિ થવામાં કાંઈ દોષ નથી, એમ તું કહેતા હાય, તેા તે તેમ નથી. કારણ કે માતાના અનુભવના ગર્ભમાં રહેલા બાળકને વિષે સંક્રમ થ વાથી તે આળકને પણ તેના સ્મરણની પ્રાપ્ત થશે. ૭૮. ૧૨ ટીકાર્થકારણ એટલે ચૈતન્યની ઉત્પત્તિમાં કારણરૂપ પંચ મહાભૂતના સમુદાય થકી તથા કાર્ય એટલે દેહ અને તેમાં ઉત્પન્ન થચેલા ચૈતન્યને વિષે વાસનાના સંક્રમથી એટલે સ્મૃતિ થવાના કારણ રૂપ જે દર્શન, ભાગ વિગેરે સંસ્કાર, તેના સંક્રમથી-પ્રવેશથી અર્થાત્ અંગના નાશ થવાથી તેણે પ્રાપ્ત કરેલા પદાર્થોનું સ્મરણ થવામાં કાંઈ પણ દોષ છે નહીં, એમ જો તું માનતા હો તો તે તેમ નથી. કારણ કે જો દેહને વિષે અનુભવના સંક્રમને લીધે અંગના નાશ થયા છતાં પણ દેહને તે અંગથી પ્રાપ્ત થયેલા પદાર્થની સ્મૃતિ થતી હોય, તે માતાએ અનુભવેલા વિષય સુખાદિક પદાર્થોના અનુભવ એટલે માતાને તે વિષયાદિક જ્ઞાનની જે ઉત્પત્તિ, તેના સંક્રમ-પ્રવેશ ગર્ભમાં રહેલા પુત્રને હાય છે, માટે તે ગર્ભગત માળકને પણ તે પદાર્થના સ્મરણની પ્રાપ્તિ થશે. અહીં તાત્પર્ય એ છે કે—જો દેહથી વ્યતિરિક્ત બીજો કોઈ જાણનારા આત્મા ન હેાય તેા નેત્રાદિક અંગ દેહ છે, અને આખું શ રીર પણ દેહુ જ છે. તે નેત્રાદિક દૈહે અનુભવેલા અર્થ તે નેત્રાદિકના નાશ થયા છતાં પણ દેહ ( શરીર )ને વિષે સંક્રમિત થતા હાય, તે માતાના દેહના સંબંધવાળા ગર્ભના દેહમાં પણ માતાના શરીરના અનુભવના સંક્રમ થશે. કેમકે બન્ને સ્થળે દેહરૂપ હેતુ સમાન છે, માટે તે બન્નેમાં સમાન ન્યાય પ્રવર્તે છે, અને તે પ્રકારે થતું નથી, તેથી દેહથી ભિન્ન ખીને કોઈ આત્મા છે, એમ સિદ્ધ થાયછે ૭૮. કહેલા અર્થને જ સૃષ્ટતાથી કહેછે.नोपादानादुपादेयवासना स्थैर्यदर्शने । करादेरतथात्वेनायोग्यत्वाप्तेरणुस्थितौ ॥ ७९ ॥ મુલાર્જ-હસ્તાદિકનું અંતથાપણું હાવાથી તથા પરમાણુની સ્થિતિને વિષે અયોગ્ય પણાની પ્રાપ્તિ હૈાવાથી ઉપાદાન કારણ થકી ઉપાદેય વાસના અને સ્થિરતાની બુદ્ધિ થઈ શકશે નહીં. ૭૯. ટીકાથે—દેહને ઉત્પન્ન કરનાર પંચ મહાભૂતના સમુદાયરૂપ - પાદાન કારણ થકી ઉપાદેય-વિશિષ્ટતાવાળી વાસના એટલે સ્મૃતિના કારણરૂપ સંસ્કાર તથા નિશ્રિત ધારણાવાળી બુદ્ધિ એ બન્ને અાગ્ય Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy