SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થકઈ જીવને તત્કાળ-અંતર્મુહુર્તાદિકમાં અને કેઈ જીવને કાળાંતરે-વર્ષતરે અથવા જન્માંતરે પ્રતિપક્ષના અંતરાલવડે કરીને-શુભ કર્મને પ્રતિપક્ષ અશુભ કર્મ અને અશુભ કર્મને પ્રતિપક્ષ શુભ કર્મ તે રૂપ પ્રતિપક્ષે કરેલા પિતાને ઉદયમાં વ્યવધાનવડે તત્કાળ અથવા કાળાતરે તે વિપાક-તીત્ર મંદાદિક ભેદવડે કર્મના ફળ તરીકે વેચવામાં આવે છે. ૫૪. અહીં કેઈ શંકા કરે કે તમે કહ્યા પ્રમાણે તો હિંસાના અનુબંધ વાળા ધર્મકૃત્યથી તે મેક્ષનું સાધન બાધકરૂપ જણાય છે. તે શંકાને દૂર કરવા માટે કહે છે – हिंसाप्युत्तरकालीनविशिष्टगुणसंक्रमात् । ... त्यक्ताविध्यनुबन्धत्वादहिंसैवातिभक्तितः ॥ ५५ ॥ મૂલાઈ—ધર્મકાર્યમાં થયેલી હિંસા પણ ઉત્તર કાળમાં થનારા વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ થવાથી, અતિ ભક્તિથી તથા અવિધિને અનુબંધ તજવાથી અહિંસા જ કહેવાય છે. ૫૫. - શ્રીકાન્હે ધમથી ! ધર્મકાર્ય કરતાં જે કોઈ જીવવિરાધના થાય છે, તે સ્વરૂપવડે હિંસા છે, તે પણ ઉત્તર કાળમાં-યતના પૂર્વક દાન, વિહાર અને દેવપૂજા વિગેરે કરતાં પૃથ્વી, જળ અને પુષ્પાદિકના આરંભવાળી ક્ષિા થઈ રહ્યા પછીને સમયે થવાના વિશેષ પ્રકારના અથવા વૃદ્ધિ પામતા સમજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક ગુણેની પ્રાપ્તિ થવાથી તથા અત્યંત ભક્તિથી એટલે દેવ, ગુરૂ અને ધર્મનું બહુમાન કરવાથી તથા આગમથી ઉલટી રીતે કરવારૂપ અવિધિને ત્યાગ કરવાથી અહિંસા જ કહેવાય છે. કારણ કે તે હિંસા અહિંસાના ફળને ઉત્પન્ન કરે છે, તથા મનના પરિણામને શુદ્ધ કરે છે, માટે તે હિંસા પણ ધર્મ જ કહેવાય છે. પપ. પૂર્વે કહેલા સમગ્ર અર્થને દેખાડનાર જિનાગમનું સમ્યકત્વ સ્વરૂપપણું બે લેકવડે કહે છે ईदृग्भंगशतोपेताऽहिंसा यत्रोपवर्ण्यते । ' સાપરિશુદ્ધ તત્વ મા વિનરાવન | પદ મલાઈ–જે શાસનને વિષે આ પ્રમાણે સેંકડો ભાંગા (પ્રકાર) સહિત અહિંસાનું વર્ણન કરેલું છે, તે સર્વ અંશે અતિ શુદ્ધ જિનશાસન જ પ્રમાણભૂત છે. પ૬. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy