SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અધ્યાત્મસાર ભાષાંતર, [ ચતુર્થ કારણ કે ક્ષણિકપણાને સિદ્ધ કરવાથી નાશના કારણના અયાગ છે, એટલે કે નાશનું કારણ રહેતું નથી માટે. ૩૩. ટીકાથે—જે કોઈ પણ પ્રકારે નિત્ય-સર્વદા સ્થાયી નથી અર્થાત્ જે એકાંતપણે દ્રવ્યથી અને પર્યાયથી પણ સર્વથા અન્વય રહિત નાશને ભજે છે તે રૂપ પક્ષ, પ્રતિજ્ઞા કે સ્વીકાર કરવાથી હિંસાદિકનેહિંસા, અહિંસા, અંધ અને મેાક્ષાદિકના અસંભવ છે. કારણકે “જગતમાં સર્વે પદાર્થો ક્ષણિક છે” એ પ્રમાણે જે ખેલવું તે ક્ષણિક વાદ. એ રીતે ક્ષણિક પણાને સિદ્ધ કરવાથી-પ્રમાણુ કરવાથી નાશના-હિંસાના કારણુ હિંસ્ય હિંસકરૂપ વસ્તુના સદ્ભાવ તેના અયેાગ-પરસ્પર સંબંધનાજ અભાવ છે, તેથી હિંસાદિક ઘટતાં નથી. ૩૩. તે સાંભળીને બીજો (ક્ષણિક વાદી ) કહે છે.~~~ न च सन्तानभेदस्य जनको हिंसको भवेत् । सांवृतत्वादजन्यत्वाद्भावत्वनियतं हि तत् ॥ ३४ ॥ સૂલાથે—સંતાન-પરંપરાના ભેદને એટલે નાશને કરનારો હિંસક થશે એમ જો તું કહેતા હૈા, તે તારૂં કહેવું અસત્ય છે. કારણ કે તે ( હિંસક ) માત્ર છતાપણામાં જ વર્તે છે, તથા અન્ય એટલે સંતાનના જનક-ઉત્પન્ન કરનાર નથી, તથા તે સંતાન માત્ર ઉત્પત્તિમાં જ નિશ્ચિત છે માટે. ૩૪. ટીકાથે હું જૈનમતવાળા! નિરંતર ઉત્પન્ન થતા સંદેશ સંદેશ જ્ઞાનના ક્ષણાની પરંપરારૂપ સંતાનના નાશને ઉત્પન્ન કરનાર-સંતાનને વિચ્છેદ કરનાર હિંસક થશે. એટલે કે આત્માના અભાવ છતાં પણ હિંસક થઈ શકે છે, માટે હિંસા ઘટે છે.” એમ જો તું કહેતા હો તે તે ઘટતું નથી. કારણ કે તેનું અત્યંત વર્તના માત્રમાં વર્તવાપણું છે, તથા તે અજન્ય છે એટલે સંતાનને ઉત્પન્ન કરનાર નથી. કેમકે તે ( સંતાન ) મતિ કપિત હેાવાથી અવસ્તુ-મિથ્યા છે. આકાશના પુષ્પની જેમ તેને કાઇપણ પેાતાના ધર્મવડે ઉત્પન્ન કરતા નથી. તથા તે સંતાન માત્ર ઉત્પત્તિમાં જ નિયત-નિશ્ચિત છે. અર્થાત્ તે સ્થિતિમાન ( સ્થાયી ) નથી, તેથી ઉત્પન્ન થયાના ક્ષણ પછી તરતજ અવસ્તુ રૂપ થવાથી હિંસાને વિષય રહેતા નથી. ૩૪, તેજ અર્થને સ્પષ્ટ કરે છે. नरादिः क्षणहेतुश्च शूकरादेर्न हिंसकः । शूकरान्त्यक्षणेनैव व्यभिचारप्रसंगतः ॥ ३५ ॥ Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy