SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ] મમતા નિરાકરણ. ૧૧૯ થવું, તથા વૈતરણી નદી અને કુંભીપાક વિગેરેથી ઉત્પન્ન થયેલાં દુ:ખાને સહન કરનાર-તેવાં દુઃખાના ભાક્તા તે પાપ કરનાર એકલા જ થાય છે, પરંતુ તેના પુત્રાદિક તેના સહાયકારક થતા નથી. માટે સર્વ દુઃખાને આપનારી મમતાના હિતાર્થી પુરૂષ ત્યાગ કરવા યોગ્ય છે. ૧૧. હવે મમતાથી અન્ધ થયેલાનું અને જન્મથી અંધનું વિલક્ષણ પણું બતાવે છે.—— ममतान्धो हि यन्नास्ति तत्पश्यति न पश्यति । जात्यन्धस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ॥ १२ ॥ ભૂલાઈ——મમતાથી અંધ થયેલા પ્રાણી જે વસ્તુ હાતી નથી તેને જુએ છે, અને જન્માંધ પ્રાણી તેા જે વસ્તુ વિદ્યમાન છે તેને જોતે નથી, એ પ્રમાણે એ બન્નેમાં માટે ભેદ-તફાવત છે. ૧૨. જે ટીકાર્થ—હે ભવ્ય પ્રાણીએ ! જુઓ કે આ મમતાથી અંધ થયેલા-વિવેકરૂપ નેત્રથી રહિત થયેલા પ્રાણી જે વસ્તુ ત્રણ ભુવનમાં નથી એટલે પરવતુને વિષે મમતા માત્ર સંબંધથી અવસ્તુને પણ જીએ છે, એટલે કે મિથ્યાત્વના ઉદય થવાથી કુદેવ, ફુગુરૂ અને સુધર્મને વિષે સુદેવ, સુગુરૂ અને સુધર્મની જેમ, તથા પેાતાની ફુલટા સ્ત્રીને વિષે સતીપણાની જેમ, મમતાંધ પુરૂષ સર્વે અવિદ્યમાન સંબંધોને વિદ્યમાનપાવડે જુએ છે. અને જાણંધ એટલે જન્મથી અંધ થયેલા પુરૂષ તા જે ઘટાદિક વસ્તુ વિદ્યમાન છે, તેને જ માત્ર જોતા નથી. એ પ્રમાણે આ મમતાંધ અને જાણંધમાં અતિ મેટા ભેદ-તફાવત છે. ૧૨. હવે આઠ લેકે કરીને મમતાંધ પુરૂષ અવિદ્યમાન વસ્તુને શી રીતે જુએ છે, તે સ્પષ્ટ રીતે ખતાવે છે.— प्राणानभिन्नताध्यानात् प्रेमभूम्ना ततोऽधिकाम् । प्राणापहां प्रियां मत्वा मोदते ममतावशः ॥ १३ ॥ ભૂલાથેમમતાને વશ થયેલા પ્રાણી પ્રાણાના નાશ કરનારી સ્ત્રીને પોતાથી અભેદપણે ધારીને પ્રાણરૂપ તથા અતિ પ્રેમને લીધે પ્રાણ કરતાં પણ અધિક માનીને આનંદ પામે છે. ૧૩. ટીકાર્ય—મમતાવાળી બુદ્ધિવડે વ્યાકુલ થયેલા મનુષ્ય ધર્મના જીવનરૂપ વ્રતાદિક ભાવપ્રાણાના તથા આયુષ્ય ઇંદ્રિયાદિક દ્રવ્યપ્રાણાના નાશ કરનારી એવી પ્રિયાને પાતાના આત્માથી અભેદપણે એટલે કે ' આ સ્રીજ મારું જીવિત છે' એમ વિચારીને પેાતાના પ્રાણરૂપ માને છે, તથા પ્રેમના અધિકપણાએ કરીને તેને પ્રાણા કરતાં પણ અધિક માનીને આનંદ પામે છે. ૧૩. Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy