SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી જ્યારે એ સૂર્યની પૂર્વ દિશાએ હોય છે ત્યારે એ સૂર્યાસ્ત પછી દેખાય છે, તેથી તે સાંજને તારે કેહવાય છે. અને તે એ મુજબ દરેક દિશામાં આશરે ૨૯૦ દિવસ સુધી રહે છે. ૧૫ શુક્ર પછીને ગ્રહ પૃથ્વી છે. અસલના વખતમાં બીજ દેશના લોકોના મત પ્રમાણે પૃથ્વી સ્થિ૨છે.અને તેની આસ. પાસ બધા ગ્રહ ફરે છે, ૫ણુ યુરોપખંડના અર્વાચીન વિદ્વાને એ સાબીત કરી આપ્યું છે કે પૃથ્વી પિતાનો આસ ઉપર આશરે ૨૪ ક્લાકમાં ફરીને સુર્યની આસપાસ ૩૬૫ દિવસ ૫ અવર ૪૪ મીનીટ અને ૪૭૬૩૫૩ સેકંદમાં એક પ્રદક્ષિણા કરી રહે છે. આ એનું ખરેખરું વર્ષ છે. પરંતુ તે વવારના કામને ઉપગી ન હવાથી દરેક ચોથે વર્ષે એક દિવસ ઉમેરીને તેને ૩૬ દિવસનું. વર્ષ કરેલું છે. અને બીજા વર્ષમાં ૩૬૫ ત્રિી વર્ષ ગણે છે. અને વિષવવૃત તરફ વ્યાસ ૭૭ર મેલ છે તથા ધવ તરફને વ્યાસ ૪૮૬ મેલ અને એને આસ1 કાંતિવૃતની સાથે ૨૩ - ૧૬ પૃથ્વીનું મહત્વ જાણુવા વિશે નિષત્તાઓને બીજી સઘળી બાબતાં કરતાં પ્રથમ જરૂર પડેલી, અને તે બાબત તેઓ આરંભમાં ઘણો તપાસ કરે છે. માણસના સ્વાભાવિક નિયમ પ્રમાણે જે તેના જેવામાં આવે, તે વિશે પ્રથમ વિચાર કરવાનું જે વલણ તેજ સુજબ તેઓના જોવામાં પવી હમેશ આવેલી. તેથી અગાઉના ગ્રંથમાં તે વિશેનું વર્ણન સઘળે ઠેકાણે જોવામાં આવે છે અને તેમાં તેઓ લખી ગયા છે કે પૃથ્વી સપાટ અને સ્થિર છે, તથા તેની આસપાસ ચંદ્ર વગેરે ગ્રહ ફરે છે એટલું જ નહિ, પશુ હિંદુઓના પુરાણુમતા પ્રમાણે તેને શેષને આધાર છે. તથા તેની ઉપરના મેરૂ પતિ . * કોઇ પણ સનને ચારે ભાગતાં શેષ ન વધે તે વર્ષ૩૬૬ દિવસનું સમજવું ને શેષ વધે તેને ૩૬૫ દિવસનું ગણવાનો ચાલ છે. હિંદુ ઘણું કરી ૩૫૪ દિવસનું વર્ષ ગણે છે. અને લગ ભગ ત્રીજે વર્ષે એક અધીક માસ ગણે છે. ૪. હિંદુઓના પુરાણોમાં કેટલેક ઠેકાણે સાફ કહેલું કે પૃથ્વી ગોળ અને નિરાધાર છે. પણ કેટલાક પુરાણીખે અને Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy