SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શીઓ ફળ કહેવામાં શાથી ફાવી જાય છે? ૧૨૯ આગળ અગાઉના વિદ્વાન ઠરાવેલા નિયમ ઉપરથી વિચારીને કહેવું જ છે. જો કે એ નિયમ સઘળાઓને એક સરખાં લાગુ પડતા નથી, તેપણુ વખતે તેમ બનેથી તેવી બાબતે વિશ્વાસ લાવવા જેવી થઈ પડેથી તેઓ પોતાના કામમાં ફાવી જાય છે. ૧૫૦ તેમજ તેઓ કેટલીક વખત ફળો કહેવામાં ઘણી ખરી મતલબ દો અર્થમાં બોલે છે, જેને અથે વખત પર કહેવા પ્રમાણે ન બને, તો જુદી રીતે કરી શકાય. જેમકે કહે છે કે આ વર્ષમાં “સાતમો બહપતિ છે તેથી સુખ થશે. (આવા કય ખુલી રીતે હિંમતથી બેલે છે) અને તેની સાથે બીજો નબળો ગ્રહ છે; એમ કહી તે વિષે ડુંક કહે છે, કે એનાથી દુઃખ અથવા નુકશાન થશે. (આ વાકય સહેજ જાગે એમાં કાંઈ જીવ નથી, એમ થોડું કહે છે.) હવે જે કાંઇ સુખ થયું તે કહે છે, કે અમે કહ્યું હતું તે પ્રમાણે થયા વગર રહેજ નહિ. અને જે કદાપિ તેમ ન બનતાં ઊલટું થયું, તે કહે છે, કે અમે તો પ્રથમથી જ કહ્યું હતું કે ભારયે સારું થાય, કારશુ બી ગ્રહ નબળે છે. વળી કઈ તવંગરને ઘેર કઈ માંદુ હોય છે, ત્યારે શી બાવાને ઘેર બોલાવે છે. આ વખતે તેએ કહે છે, કે ભાઈને ફલાણો ગ્રહ નબળે છે, પણ બીજો સારો છે તેથી હાડ ફીકર જેવું નથી; તોપણ બાટા ગ્રહ પિતા ને ભાવ ભડ્યા વગર રહેતા નથી; તેથી પીગ થશે, માટે તેને સારૂ અમૂક ન કરવું. કારણ કે પુજે પાપ કેલાય એમ કહી દશ બાર રૂપિઆનો મતા સેટી જતી વખતે ઘરના કોઈ બીજા માસુસને અથવા ચાકરને બિજા ન સાંભળે એમ કહે, કે ભાઈ બચવાના નથી. હવે જે ઇશ્વર ઈચ્છાથી સારું થયું, તે ચાકરની આગળ કહેલી વાત કે સંભારે નહિ તેથી પિતાની બડાઈ હાકે, અને જે ભાગ જેને નાશ થશે, તો એમ કહે કે એવી બાબતમાં ઉપર કહેતાં જીભ કેમ ઊપડે માટે મેં તો ફલા| ચાકરને કહ્યું હતું કે શેક બચવાના નથી. એ પ્રમાણે કેટલીક યુકિતઓ કરી પિતાનું માન વધારે છે. - ૧૫૧ કઈ જન્મોત્રી અથવા પ્રશ્નોત્રી લઇ બતાવવા આ Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy