SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે? ૭૩ અને એને કોઈ સુખ મળતું નથી. अज्ञश्चाश्रद्दधानश्च संशयाऽऽत्मा विनश्यति ત્રણ વ્યક્તિ વિનાશ પામે છે એક તો અજ્ઞાની, બીજી એ વ્યક્તિ જેને શ્રદ્ધા નથી અને ત્રીજી એ વ્યક્તિ જે સંશય કર્યા કરે છે. મમ્મી, આ રીતે તો ઘર પણ ન ચાલી શકે, તો મોક્ષ તો કયાંથી મળે? કાંઈ કર્યા વગર તો કશું થવાનું જ નથી, અનંત કાળ પછી પણ સંશયોને છોડીને અને સત્ત્વ ફોરવીને જ મોક્ષ થવાનો છે, તો એ કામ આજે જ શા માટે ન કરવું? શા માટે હજી અનંત ભવભ્રમણથી આત્માને દુઃખી કરવો? મમ્મી, કદાચ તું એમ કહેતી હોય, કે પૂર્વકાળમાં એવી ચારિત્રની સાધના હતી, આજનો કાળ ખૂબ ખરાબ છે. આજે એવું ચારિત્ર રહ્યું નથી. સાધુતામાં પણ જાતજાતની શિથિલતાઓ હોઈ શકે છે, તો મારે આ બાબતમાં એ જ કહેવું છે, કે હું સારામાં સારું-એક પણ શિથિલતા વગરનું ચારિત્ર પાળીશ. હું સિંહની જેમ સંયમ લેવા માંગું છું,
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy