SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગટર જો ચોખ્ખી થઈ શકે, તો સંસાર સુખી થઈ શકે. સંસારની ગટરને ચોખ્ખી કરવાની મથામણ ખૂબ જ કષ્ટમય છે. આ મથામણ સાવ જ વ્યર્થ છે - ને આ બધો અશક્યનો પ્રયાસ છે. સંયમ કબ હી મિલે ? ગટરને ફક્ત છોડી શકાય છે, ચોક્ખી નથી કરી શકાતી. સંસારના દુઃખોથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય સંસારત્યાગ છે. ન મરણં – મોક્ષમાં મરણ નથી. મરણ એ બહુ જ મોટી મશ્કરી છે. જન્મથી માંડીને માણસ સતત નવા નવા સંબંધો બાંધતો ગયો હોય, નવી નવી વસ્તુઓને ભેગી કરતી ગયો હોય, સંઘર્ષ કરી કરીને જે પૈસા ભેગા કર્યા હોય, એ બધું જ એક ઝાટકે મોત છિનવી લે છે. No doubt, મોતની પીડા અસહ્ય હોય છે. અકથ્ય હોય છે. ‘મોત’ આ શબ્દ પણ માણસને ધ્રુજાવી દેવા માટે સમર્થ છે. પણ મોતની આ મશ્કરી પર આપણું ધ્યાન જ જતું નથી, પરિણામે આપણે આખી જિંદગી મૂર્ખ બન્યા કરીએ છીએ. આખી જિંદગીનું ભેગું કરેલ બધું જ છોડીને જતા રહેવાનું. ફરી નવું જીવન, નવેસરથી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. આટ આટલું સમજ્યા પછી કેમ વિદ્રોહ ન પ્રગટે ? કેમ મોત સામે બળવો કરવાનું મન ન થાય ? That's Possible Mummy. If we wish. ગણતરીના સમયમાં આપણે મોતને ખતમ કરી શકીએ છીએ. If we wish. ન વિઓો – મોક્ષમાં ઇષ્ટવિયોગ નથી.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy