SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તમે ગયા. ‘ઘર બાળીને તીરથ' કરવા જેવી આ ઘટના છે. પ્રેમ કરીને સુખી થવા જાવું, એ ઝેર ખાઈને જીવવાનો પ્રયાસ કરવા જેવી ઘટના છે. પ્રેમને પોતાનું બધું જ અર્પિત કરી દીધા પછી એ પ્રેમ તૂટે કે પ્રેમપાત્ર તૂટે એટલે માણસ પોતે જ તૂટે છે. વિદેશમાં બધી બાજુથી તૂટી ગયેલો માણસ છેવટે કૂતરા પર ઢળે છે. પણ એ કૂતરો પણ તો શાશ્વત નથી હોતો. એનું આરોગ્ય પણ તો કાયમ નથી હોતું. એનો સંયોગ પણ તો ૨૪ x ૭ કલાક નથી હોતો. પ્રેમભૂખ્યો માણસ સરવાળે તો ભૂખ્યો જ રહી જાય છે. આત્માનો ઓક્સિજન રાગ નથી પણ વિરાગ છે. વિરાગથી આત્મા જીવે છે, વિરાગથી આત્મા પુષ્ટ થાય છે, વિરાગથી આત્મા પરમાનંદમાં મ્હાલે છે, પણ રાગથી એ રીતસરનો રિબાઈ જાય છે. લક્ષ્ય તો છે વિરાગ ભાવ... પરમ લક્ષ્ય તો છે વીતરાગ ભાવ... પણ એનું માધ્યમ છે પ્રશસ્ત રાગ. દેવ-ગુરુધર્મ પ્રત્યેનો રાગ. જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યેનો રાગ. અચળ રાગ. અવિહડ રાગ. I suggest you a book ઔર ન ચાહું રે કંત. There is an emotion of the divine love. સંસારનો બધો જ પ્રેમ ‘પરમ’ ઉપર ઉતરી જાય, તો આત્માનો બેડો પાર છે. પછી તો એનો કંઠ છે, એને શાશ્વત સુખની વરમાળા છે. ભડભડ બળતો નિભાડો. ૫૬
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy