SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ચારિત્ર-નિર્માણ આખું ય જગત્ દુઃખમય છે. દુઃખથી બધા જીવે ત્રાસે છે. દુઃખને પડછાયે પણ અસ્વસ્થ બનાવનારે થાય છે. દુખથી છૂટવા માટે શું કરવું, દુઃખથી છુટકારે તે મળી જ જોઈએ. જીવાત્માને સુખની જેટલી ઈચ્છા છે તેના કરતાં દુઃખના અભાવની પહેલી જરૂર છે. સુખ કદાચ ન મળે તે ય ચાલે, પરંતુ દુિઃખને ન જ ખપે. દૂધપાક-પૂરીનું જમણ મળે અને માથાને ન ઊપડેલ દુઃખાવે ટળે...આ બેમાંથી એક જ ઈચ્છા કરવાની હોય તે માથાના દુઃખાવાના નાશની જ ઈચ્છા જીવમાત્ર કરશે. જૈન શાસ્ત્ર કહે છે કે જે તમે દુઃખથી છુટકારો પામવા ઈચ્છતા હે તે તમે દુર્ગતિથી (ઘણી વાર સદ્દગતિ પણ દુર્ગતિને સારી મનાવતી–પ્રાપ્ત થતી હોય છે.) છુટકારે પામે. દુઃખ આ દુર્ગતિએની નીપજ છે. દુર્ગતિથી મુક્તિ પામવા માટે અશુભ કર્મના બંધન ન થવા દે. અશુભ કર્મોના ઉદયકાળમાં જ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે તે કર્મ બાંધવા ન હોય તેણે રાગદ્વેષની આત્મ પરિણતિને ત્યાગ કરે તેવી પરિણતિથી સતત દૂર રહેવા માટે જીવંત પ્રયત્ન કરવો. રાગાદિની પરિણતિની મંદતા થાય તે ય ચીકણા કર્મબંધ ન થાય; તેથી દુર્ગતિ ન પમાય; તેથી દુઃખ જોવાનું રહે નહીં. આમ આ એક ચેકડી પૂરી થઈ. હવે બીજી ચોકડી શરૂ થાય છે. જેણે રાગાદિ પરિણતિને ઘટાડી દેવી હોય તે જિનેશ્વર ભગવંતેની શાસ્ત્રોક્ત આજ્ઞાઓનું વિવિધતા, બહુમાનપૂર્વક સેવન કરવું. Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy