SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ # (6) અરહંત દયાળ () અંતઃકરણમાં સૂઝ-બૂઝ થવી જોઈએ. સૂઝ એટલે શોધ અર્થાત જિજ્ઞાસા, અને બૂઝ એટલે જ્ઞાન. વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ દુષ્કૃતગહ અને સુકૃતાનમેદનની અપેક્ષા રાખે છે. વીતરાગ અવસ્થાનું મહાત્મય પિછાણવા માટે હૃદયની ભૂમિકા તેને યેગ્ય થવી જોઈએ. એ યોગ્યતા ગહણીય અને અનુમોદનીયની અનુમોદનાના પરિણામથી પ્રગટે છે. ગહ દુકૃત માત્રની હેવી જોઈએ. એ બે હેય ત્યારે રાગદ્વેષની તીવ્રતા ઘટી જાય છે. રાગ ન અને દ્વેષ પ્રત્યે દ્વેષની વૃત્તિ હેવી એ રાગદ્વેષની તીવ્રતાનો અભાવ છે. દુકૃતગહ અને સુકૃતાનમેદનની હયાતીમાં તેની સિદ્ધિ થાય છે. એથી વીતરાગતાના શરણે જવાની વૃત્તિ જાગે છે. વીતરાગતા એ જ શ્રદ્ધેય, ધ્યેય અને શરણ્ય લાગે છે પછી વીતરાગતા અચિન્યશક્તિયુક્ત છે. તેનાથી વિમુખ રહેનારને નિગ્રહ અને તેની સન્મુખ થનારને તે અનુગ્રહ કરે છે. લોકાલક-પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન કે જે આત્માનું સહજ સ્વરૂ૫ છે, તે વિતરાગ અવસ્થામાં જ પ્રકાશી ઊઠે છે, અન્ય અવસ્થામાં તે વિદ્યમાન હોવા છતાં અપ્રગટ રહે છે. કેવળજ્ઞાન-કેવળદર્શન વડે કાલેકના ભાવ હસ્તામલવત્ પ્રતિભાસે છે. સર્વ દ્રવ્યના ત્રિકાલવતી સર્વ પર્યાનું તે ગ્રહણ કરે છે. સમયે સમયે જ્ઞાન વડે સર્વને જાણે છે, અને દર્શન વડે સર્વને જુએ છે. - વીતરાગના શરણે રહેનારને તેમના જ્ઞાનદર્શનને લાભ મળે છે. એ જ્ઞાનદર્શન વડે પ્રતિભાસિત સર્વ પદાર્થોના સર્વ પર્યાયાદિની ક્રમબદ્ધતા નિશ્ચિત થાય છે. તેથી જગતમાં બની ગયેલા, બની રહેલા અને ભવિષ્યમાં બનનારા સારાનરસા બનાવમાં રાગદ્વેષ અને હર્ષશેકની કલ્પનાઓ નાશ પામે છે. અરિહંત અને સિદ્ધ પરમાત્માનું દયાન A એ કર્મક્ષયનું અસાધારણ કારણ છે. ' જીવનું રૂપાંતર કરનાર રસાયણના સ્થાને એક દયા છે, તે કારણે Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy