SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 1 * (૪) વર્ષ ૨૬ મુ. તેજ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવને છુટવા ઘટતા નથી, એવું જે “સમપણુ-સમતા -તે જેનામાં લક્ષણ છે, તે “જીવ’ છે. પશુ, પક્ષી, મનુષ્માદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે, જે કંઈ રમણીય પણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કુતિવાળાં જણાય છે; પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમણીયપણું-રમતા' છે લક્ષણ જેનું, તે - જીવનામને પદાર્થ છે, જેના વિદ્યમાનપણા વિના આખું જગત શુન્યવતું. સંભવે છે, એવું રમ્યપણુ જેને વિષે છે –તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવે છે. છે. કોઈ પણ જાણનાર, કયારે પણ કોઈ પણ પદાર્થને પિતાના અવિદ્યમાન પણે જાણે એમ બનવાગ્ય નથી; પ્રથમ પિતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતેજ કારણ છે; બીજા પદાર્થના અંગીકારમાં,–તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હેય 'તેજ થઈ શકે, એવો સર્વથી પ્રથમ રહેનારે જે પદાર્થ, તે જીવે છે, તેને ગણ કરીને એટલે તેનાવિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે, તે તે બનવાગ્ય નથી; માત્ર તે જ મુખ્ય હેય, તો જ બીજું કંઈ જાણી શકાય એવા જે પ્રગટ ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર “જીવ' કહે છે. પ્રગટ એવા જડ પદાર્થો, અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવન નાયકપણા નામને ગુણ છે. કોઈ પણ સમયે સાયક રહિતપણે આ “જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ’ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે સાયકપણું સંભવી શકે નહી; એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થકરે, જીવે કહ્યું છે. આ જ કાર છે. તે - છે શબ્દાદ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગસંબંધી જે રિયંતિમાં સુખ સંભવે છે, તે ભિન્ન ભિન્ન કરી જેમાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે, તીર્થ કરે જીવ નું કહ્યું છે અને વ્યવહારદ્રષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હુ સુખી છું, એવું જે જ્ઞાન છે તે, બાકી વધે એવો જે જીવે પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy