SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ રાજબોધ (૭૧) જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે, અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવું તે એક “સ્વછંદ નામને મહાદેષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે. આ વર્ષ ર૬ મ. (૪૩) ' I , કલ્યાણને માર્ગ. કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણોને પ્રાપ્ત થાય એમ, નિષ્કારણે કરુણુશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે પુરૂષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લેક આત્માવસ્થા પ્રત્યે હો, સ્વરુપપ્રત્યે હો, આત્મસમાધિપ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વપપ્રત્યે ન હો, અન્ય આધિપ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હેય છે, તે જ્ઞાન સર્વ પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એજ જેનો કરણશીળ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરૂષોને છે. . કલ્યાણ જે વાટે થાય છે, તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણવાળી ક્રિયા હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તે તે જોગનો સંભવ થત નથી. અત્ર તે લકસંજ્ઞાએ એuસંજ્ઞાઓ, માનાથે, પૂજાથે, મતના મહત્વાર્થો, શ્રાવકાદિના પિતાપણાથે, કે એવા બીજા કારણથી જપતપાદિ વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જે તમે કંઈ કચ્છી કરતા હે, તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણું એટલે આત્માર્થ શિવાયના Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy