SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું. (૧૫) રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. એથી આપણને મળેલ એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે અવને છે કેટલાક મૂર્ણો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં, મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે, અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણુવ; બાકી તે વાનરરૂપ જ છે. આ મતની પળ આપણે નિશ્ચય જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. સતદેવતત્વ. . ત્રણ તો આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તો - સંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તો તે સતદેવ, સતધર્મ, સદ્ગુરુ છે આ પાઠમાં સતદેવસ્વરુપ વિષે કંઈક કહું છું. જેઓને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્ય દર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહાગ્રતાપપધ્યાન વડે વિશેધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજવળ એવું શું ધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તિ–રાજાધિરાજ કે રાજપુત્ર છતાં તેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેને ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીવ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે; સંસારમાં મુખ્યતા ભેગવતાં જ્ઞાનાવરણી, દર્શનાવરણ, માહિતી અને અંતરાય એ ચાર કર્મ ભસ્મિભૂત કરી જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે કેવળ મેહજનિત કર્મને ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; કર્મગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બેધબીજને મેધધારા જેવી વાણીથી વૈરાગ્યપૂર્વક ઉપદેશ કરે છે, કોઈ પણ સમયે કિ ચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસને સ્વમાંશ પણ જેને રહ્યા નથી; કર્મદળ ક્ષય કર્યો પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છવસ્થતા ગણી ઉપદેશક કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, - જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy