SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) વર્ષ ૧૬ મું. ૫ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવ. અંતે એ જ મુકિતના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે! સનાથ થવા પુરુષાર્થ કરે એ જ શ્રેય છે! એકત્વ ભાવના, - શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઈ ન શકાય; એ ભગવે એક સ્વ આત્મ પતે, એકવ એથી નય સુજ્ઞ ગતે. - શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિકના જે ઉપદ્રવ થાય છે તે, સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કેઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પિતાને આત્મા પિતે જ ભોગવે છે; એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી; તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકે આપણે આત્મા જ ભગવે છે; એ એકલો • આવે છે, એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરૂષો એકત્વને નિરંતર શોધે છે. * * * દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તો પણ, એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળવા અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરૂષ પરમત્કૃષ્ટ છે. આત્મા સંગાતે યુદ્ધ ઉચિત છે, બહિર યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચ ઇંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દેહિલાં છે. જેણે મને ગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. - મહિને મહિને જે દશ લાખ ગાયનાં દાન દે તે પણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમગ્રહણ તે પરમ શ્રેયનું કારણ છે. ગાયોનું દાન નથી કરતે પરંતુ જે પુરુષ સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. બાલ અવિવેકી ગમે તેવા ઉગ્ર તપ કરે, પરંતુ મૃતધર્મસમ્યફ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સેળ કળા જેવી કેમ ગણાય! મેરુ પર્વત જેવા કદાચિત સેના પાનાં અસંખ્ય પર્વત હોય તો પણ લાભી મનુષ્યની તૃષ્ણ છીપતી નથી. કિંચિત માત્ર તે સંતેષ પામતે નથી. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy