SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મૃ. . ' [૧૩૧] પાપક્રિયામાં પણ પાપ પણે પરિણમવાને ગુણ છે, અને તેથી કબંધ થઈ યથાઅવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે, તે પાપયિાવાળા ઔષધાદિ કરવામાં, કરાવવામાં, તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પિતતાના સ્વભાવે પરિણામીને યથાઅવસરે ફળ આપે છે જેમ રોગાદિના કારણરૂપ કર્મબંધ પિતાને જેવો સ્વભાવ છે તે દર્શાવે છે, જેમ ઐાષધાદિના પગલે પિતાને સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે-તેનાં જેવાં જ્ઞાનાદિ છે. વૃત્તિ છે–તેને પિતાને સ્વભાવ દર્શાવવાને ગ્ય છે; તથારૂપ શુભ શુભસ્વરુપે અને અશુભ અશુભસ્વરુપે સફળ છે ગૃહસ્થવ્યવહારમાં પણ પિતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી; અને આધ્યાનનું યથાદ્રષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવાયોગ્ય દેખાય, અથવા આધ્યાન ઉપજતું દેખાય, તે ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિર્વઘ [નિષ્પા૫] ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત પિતાને અર્થે અથવા પિતાના આશ્રિત એવા, અથવા અનુકંપાગ્ય એવા જીવને અર્થે સાવદ્ય અધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવઘપણું નિર્ધશ (ર) પરિણમના હેતુ જેવું, અથવા માર્ગને ઉથાપે તેવું હોવું ન જોઈએ; એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરૂષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં; એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવાગ્ય છે. [૧૧] અનિત્ય દેહમાં એક વિશેષપણું. પરમેગી એવા શ્રી કષભદેવાદિ પુરૂષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે છે કે તેને સંબંધ તે ત્યાં સુધી Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy