SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (૧ર) રાજબેધ (૯૬) આર્ય આચાર વિચાર, અત્રેથી “આર્ય અચારવિચાર' સાચવવા સબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થ માં લખ્યું હતું; “આર્ય વિચાર’ એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણનું આચરવું તે; અને “આર્ય આચાર” એટલે, મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્ય, વર્તમાનકાળસુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણે, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ, થવી તે. એમ સંક્ષેપ મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક અચાર, તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુવિના તો વર્તવું યંગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જે કે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યું છે, તે પણ આપણે તે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જયાંસુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાંસુધી, તે વાણીઆરૂ૫ વર્ણ ધમને અનુસરવો તે એગ્ય છે; કેમકે અભક્ષાદિ ગ્રહણને તેને વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવાયોગ્ય છે કે, લહાણું પણ તે રીતે વર્તે છે, તે તેનાં અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?” તે તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે, કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી બીજા સમાગમવાસી, કે પ્રસંગાદિ આપણુ રીતિ જેનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણધર્મની હાનિને વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લેપવાપદેષ કરવા જેવું થાય છે. આપણે, કંઇ કના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તે પણ બીજા તેનું અનુકરણ, તે હેતુને સમજ્યાવિના વણકરીને કરે, અને અંતે અભક્ષાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તને હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઉતરતી વૃત્તિ છે તે જ પિતે અભક્ષાદિ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy