SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પરંપરા અને પ્રગતિ આરંભમાં ૧૯૭૬ને અંતે રોજગારી: અતુલમાં ૨૬૪૦ ૧ ૩૩૭ ૨૮૪૦ બીજી કંપનીઓમાં: આજથી ૨૫ વર્ષ પહેલાં આ ૧૧૨૫ એકરની મોટાભાગની જમીન ઉપર માત્ર ઘાસ ઊગતું હતું. પીવાના અને ખેતીના પાણીની અછત હતી. આજુબાજુના વિસ્તારમાં રોજગારીની તકો ઘણી જૂજ હતી. આદિવાસી પ્રદેશમાં આવેલ આ વિસ્તારમાં સામાજિક જીવન પણ ક્ષુબ્ધ હતું. એ જગ્યાએ પાર નદી ઉપર એક બંધ બાંધી ૨૧ કરોડગેલન પાણી માય એવો બંધ બનાવી ૧ લાખ કરતાં પણ વિશેષ વૃક્ષોથી થયેલી વનરાજિ, રહેવાના નાનામોટા, સુંદર અને નજીવા ભાડે આપેલા વસવાટો, બાલમંદિરથી માંડી અનુસ્નાતક સુધીનું શિક્ષણ આપતી સંસ્થાઓ, દવાખાનાં, બૅન્ક, પોલીસ સ્ટેશન, સારા રસ્તાઓ, વાહન વ્યવહાર, અતુલનું રેલવે સ્ટેશન, કૂવાઓમાં જળવાઇ રહેતી પાણીની સપાટી, કુલ્લે ૫૫૦૦ માણસોને મળેલી રોજગારી અને તેને કારણે, વિકસેલા નાનામોટા બીજા ઉદ્યોગો અને સર્વિસીસ, ૨૫ વર્ષમાં થયેલું આ મોટું સામાજિક પરિવર્તન છે. સ્ત્રીઓને પણ મળેલી રોજગારીની તકોને કારણે આર્થિક સ્વતંત્રતાના કારણે, તેમનો સામાજિક મોભો અને જીવન આમૂલ બદલાઈ ગયું છે. ટુંકાણમાં કહીએ તો જંગલમાં મંગલની સ્થાપના થઈ છે. અતુલની થયેલી પ્રગતિ આથી વિશેષ થઈ શકી હોત કે કેમ તે અંગે જુદા જુદા અભિપ્રાયો શક્ય છે. આ વિવાદમાં નહિ ઊતરતાં જે કાંઈ પ્રગતિ થઈ છે તેમાં કેટલીક વ્યક્તિઓ, સંસ્થાઓ, નિર્ણયો અને નીતિઓનો ફાળો સીમાસ્તંભ સમાન છે. તેમને આજે યાદ કરી હું ઋણમુક્ત થવા માગું છું. હું સ્વર્ગસ્થ શ્રી ધીરજલાલ ભૂલાભાઈ દેસાઈને અંજલિ આપું છું. તે અમેરિકન સાઈનેમાઈડ નામની મોટી ઔદ્યોગિક કંપનીને હિંદુસ્તાનમાં ઉદ્યોગ સ્થાપવામાં રસ છે એવો પ્રસ્તાવ લાવેલા. મને યાદ છે કે અમેરિકન સાઈનેમાઈડના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી એસ. સી. મૂડીએ આર્ષદ્રષ્ટાની વાણીમાં મને જણાવ્યું કે રંગરસાયણના ઉદ્યોગના વિકાસને કોઈ સીમા હોતી નથી. માટે આ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy