SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પરંપરા અને પ્રગતિ પાડવાના છે.” જુઓ તો ખરા, શું થાય છે તે.” “કેમ એમ કહો છો?” કસ્તૂરભાઈએ પોતે ખંડુભાઈ સાથે કરેલી મસલતથી તેમને વાકેફ કર્યા ૧૬ કારીગરો વતનમાં ચાલ્યા જતાં બધી જ મિલો આપોઆપ બંધ થઈ ગઈ. મજૂર અને માલિકનો આ પ્રકારનો સહકાર અભૂતપૂર્વ હતો. અમદાવાદની મિલોના એક લાખ કામદારોની આ ઐતિહાસિક હડતાળે દુનિયા આખીનું ધ્યાન ખેંચાયું. બીજા વિશ્વયુદ્ધ ચાલતું હતું. તેને માટે જરૂરી કાપડના ઉત્પાદનને ત્રણ માસ ચાલેલી આ હડતાળે મોટો ફટકો આપ્યો. કોઈ જાતની ધાંધલધમાલ વગર, લોહીનું એક બુંદ પણ પાડ્યા વગર, કોઈ એક વ્યક્તિને માથે જવાબદારી મૂક્યા વગર આટલી મોટી સંખ્યાના કારીગરોની હડતાળ આટલા લાંબા વખત સુધી પડે તે અમદાવાદમાં જ બની શકે. તેની પરંપરામાં પડેલી કોઠાસૂઝ અને વ્યવહારદક્ષતાનો એ વિજય હતો. - ત્રણ માસને અંતે કસ્તૂરભાઈને લાગ્યું કે હવે વધુ વખત હડતાળ ખેંચાય તે યોગ્ય નથી; હડતાળનો ઉદ્દેશ પાર પડી ગયો છે, એટલે મજૂરોને હવે ક્યાં સુધી ભૂખે મરવા દેવા? ખંડુભાઈ જેલમાં હતા ત્યાંથી તેમની સંમતિ મગાવી લીધી. મિલો ખોલી નાખવાની જાહેરાત થઈ. સ્થાનિક કોંગ્રેસના કેટલાક કાર્યકરોને કસ્તૂરભાઈનું એ પગલું ગમ્યું નહીં. ચાર યુવતીઓને તેમણે તેમના શાહીબાગના નિવાસસ્થાને તેમના નિર્ણયના વિરોધરૂપે ઉપવાસ કરવા મોક્લી. કસ્તૂરભાઈ મક્કમ હતા. ઉપવાસ કરવા આવેલી બહેનોને તેમણે શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે માની નહીં. મિલો ઊઘડી ગઈ. તે પછી ચાર દિવસે કંટાળીને ચારે બહેનો ચાલી ગઈ.૧૭ પોતાની મર્યાદામાં રહીને પણ, રાષ્ટ્રીય રંગપીઠ પર ચાલતા સત્કાર્યને કસ્તૂરભાઈએ હિંમત, દઢતા અને ઊંડી કર્તવ્યબુદ્ધિથી પ્રોત્સાહન આપ્યું હતું, એટલું જ નહિ, તેને આગળ ધપાવવામાં સક્રિય પુરુષાર્થ પણ કર્યો હતો. ટીપ ૧.KD, p. 11. ૨. KD, p. 19. ૩. આને અંગે ગાંધીજીએ કરેલાં લખાણો માટે જુઓ ગાંઅ, ૩૬, લેખક્રમાંક ૧૨૦, ૧૫૬, ૧૬૯, ૧૯૭, Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy