SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પરંપરા અને પ્રગતિ હતો. તે વખતે ન્યૂ ઇન્ડિયા વીમા કંપનીના ડિરેક્ટરોની સભામાં હાજરી આપવા માટે કસ્તૂરભાઈ લકત્તા આવેલા. તેમણે વેપારીઓની મુશ્કેલી જાણી. એટલે મોહિની મિલવાળા મોહનભાઈની સાથે તેઓ પુરવઠા પ્રધાન સુહરાવર્દીને મળવા ગયા. . સુહરાવર્દીએ કસ્તૂરભાઈને મળતાં જ “કાળા બજારને ઉત્તેજન આપનાર’ તરીકે તેમને સંબોધ્યા અને કહ્યું: “કાપડના વેપારીઓને તમે ઉશ્કેરો છો, ખરુંને?” આ અણધાર્યા હુમલાથી સહેજ પણ પાછા પડ્યા વિના કસ્તૂરભાઈએ જવાબ આપ્યો: “તમે કાપડ અંકુશ ધારો ઘડીને વિશાળ સત્તા તમારા અધિકારીઓને આપી છે. કાળાં બજાર કરવા માટે કેટલા જથ્થાબંધ વેપાર કરનારને તમે ગિરફતાર કર્યા? “એક પણ નહીં.” “.............” “કારણ કે તમારા અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. વેપારીઓના જોર પર તો આખો મિલ-ઉદ્યોગ ઊભો રહી શક્યો છે ને જાપાન તથા બ્રિટનની સામે ટકી રહેલ છે. ગ્રાહકોને મુશ્કેલી વેઠવી ન પડે અને વેપારીઓને પરવડે તે રીતે છૂટક વેચાણનો બંદોબસ્ત થવો જોઈએ.” પણ એવો કોઈ બંદોબસ્ત થાય તે પહેલાં પ્રધાનમંડળ તૂટયું. ગવર્નરનું રાજ્ય આવ્યું. સર અકબર હૈદરી પાસે ઉદ્યોગ ખાતાનો હવાલો હતો. તેમણે બિરલા, કસ્તૂરભાઈ, સર પી. ટી. અને કૃષ્ણરાજ ધરમશીને બોલાવ્યા. ગવર્નરને મળવાનું નક્કી થયેલું, પણ છેલ્લી ઘડીએ સર અકબરે જાહેર કર્યું કે ગવર્નર દિલ્હી જવાના હોવાથી મળી શકશે નહીં. “તો અમને બોલાવ્યા શા માટે? અમારો સમય ઘણો કીમતી છે. અમે આ ચાલ્યા.” કસ્તૂરભાઈએ ગવર્નરની બેજવાબદાર વર્તણૂક સામે વિરોધ કર્યો અને સાથે આવેલા રામનારાયણ શેઠને ટિકિટ મેળવી આપવા કહ્યું. પરિણામે ગવર્નરને મુલાકાત આપવી પડી. ઉદ્યોગપતિઓ સાથે વાટાઘાટો ચાલી. કસ્તૂરભાઈએ વેપારમાં ગેરરીતિ થવા ન પામે એવી કાપડના છૂટક Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy