SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ક બસમા માટે ચેાગ કહે મુનિરાય, જેથી ચિત્ત વૃત્તિ સ્થિર થાય; ચાગ કેરાં છે આઠે અંગ, સજ્જન સાધેા આણી ઉમગ. યમ ને નિયમ સુખાસન સાર, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધ્યાન ધારણા અને સમાધી, આઠે અંગે લેવાં સાખી. ચમ સાધન દશ ભાખ્યાં જેહ, સુખદાયક સાધકને તેડુ; સદ્ગુપર કરૂણા કરવી સહી, કોઈની ચારી કરવી નહીં. સરલપણે સહુથી વરતવું, શાંતિ યુક્ત સ્વભાવી થવું; બાહ્યાભ્ય’તર શાચાચાર, ધૈર્યવ ંત થાવું નિર્ધાર. મિતાહાર કરવા સર્વદા, સત્યવાણી ઉચરવી સદા; પ્રાણી હિંસા કરવી નહીં, બ્રહ્મચર્ય વ્રત ધરવું સહી. યમ નામે સાધન દશ એહ, પાળે સહુ ચેાગેશ્વર તે; હવે નિયમ કહું છું દશ વીર, પાળે ધાર્મિક ને જે ધીર. ૮ આસ્તિકત્વ ગુણ ઉપજે સાર, પ્રભુ મળવાના હર્ષ અપાર; ધર્મ પાળવાને તપ સહે, દેવાર્ચન માંડે સ્થિર રહે. દીન જોઇને આપે દાન, રહે અહરનિશ લજજાવાન; સાચું થાય બ્રહ્મનું જ્ઞાન, હેામ કરે તે જન ગુણુવાન. સારાં શ્રવણુ કરે નિષ્પાપ, મુખડે વેદ મંત્રના જાપ; દશે નિયમનાં એ છે નામ, પાળે તેને ભેટે રામ. ચારાશી આસન કહેવાય, પદ્માસન બહુ શ્રેણ ગણાય; સ્વસ્તિક ભદ્ર વજ્ર ને વીર, પાંચે આસન ભાખે ધીર. ત્રણ પ્રકારે પ્રાણાયામ, પૂરક કુંભક રેચક નામ; વારે ઇંદ્રિય વિષયે થકી, પ્રત્યાહાર કહ્યા તે નકી. નાભિ આદિ સ્થાનક જે કહે, બ્રહ્મરંધ્ર પર્યંતજ ગ્રહે; Scanned by CamScanner ૧૦ ૧૧ ૧૨ ૧૩
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy