SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ કોઈ ધર્મ નહીં પણ વીતરાગ માર્ગ ફાવે પ્રશ્નકર્તા : દાદા, તમને જૈનના સંસ્કાર કેટલા વર્ષથી મળેલા ? નાનપણથી જ જૈનના સંસ્કાર બધા ? દાદાશ્રી : ના, નાનપણમાં તો મને આ વૈષ્ણવના સંસ્કાર મળેલા. અમારો જન્મ વૈષ્ણવ મા-બાપને ત્યાં ઋણાનુબંધથી થયેલો. પ્રશ્નકર્તા પણ દાદા, એવું સાંભળ્યું છે કે તમે નાનપણમાં ચોવિહાર કરતા'તા, પ્રતિક્રમણ કરતા'તા. દાદાશ્રી: ના, ના. એ તો બધું મોટી ઉંમરમાં, પણ પહેલાં કંઠી બંધાવેલી. જૈન ધર્મ તો ફાવે જ નહીં, મેળ જ ન ખાય. વીતરાગ માર્ગ ઉપર ગયેલો. પ્રશ્નકર્તા: હા, એટલે વીતરાગ માર્ગ ઉપર, બરોબર. દાદાશ્રી : આ કૃષ્ણ ભગવાને “વીતરાગ’ કહ્યું, તે ફાવે. વીતરાગો (તીર્થકરો)એ “વીતરાગતા' કહ્યું તે ફાવે. જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ એ બધું અમને ના ફાવે. મને કંઈક શિખવાડે, ત્યાં બંધાવું ફરી કંઠી પ્રશ્નકર્તા : આપનો જન્મ વૈષ્ણવ કુળમાં થયેલો તો તમે કંઠી કોની બંધાવેલી ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy