SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અને પોતે જ્ઞાનદશાથી જ્ઞાની પુરુષ થઈ “દાદા ભગવાન સ્વરૂપ સુધી પહોંચી શક્યા. આવો દાદો નહીં મળે, આવું દાદાનું જ્ઞાન નહીં મળે ને આવું જીવન ચરિત્રેય જાણવા નહીં મળે. અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! બાળપણથી જ એમના જીવનનો ધ્યેય શું હતો? તો કહે છે, “મને ઉપરી પોસાતા નહોતા. મારે ભગવાન જાણવા હતા. સાચા ભગવાન ક્યાં છે, શું કરે છે, કેવા સ્વરૂપે છે, એ પ્રાપ્તિ માટે મારું જીવન હતું.” અને એ શોધતા શોધતા પછી જીવનમાં જે ભણતર આવ્યું, ફાધર-મધર, ભાઈ-ભાભી બધા સાથેના વ્યવહારમાં પણ એમની આ શોધખોળ અટકી નહોતી અને છેવટે પ્રાપ્ત કરી શક્યા. એમને નિરંતર ચિત્તમાં આ ભગવાન સંબંધી ઍનાલિસિસ ચાલ્યા કરતું. એ મારી મહીં જ બેઠા છે, દરેકની મહીં બેઠા છે, એવી તો એમને ખાતરી થઈ ગઈ'તી. અને એ છેવટે ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારે પૂર્ણાહુતિ થઈ. પછી તો જગત કલ્યાણ માટે આખું જીવન ગયું, પણ આવા જ્ઞાની પુરુષના બાળપણનું વર્ણન એમના જ મોઢે, એમના જ શબ્દોમાં તળપદી ભાષામાં આપણને મળે છે અને ચોખ્ખી વાત પાછી, પોતે જોયેલી ને પોતાની જ અનુભવેલી. એટલે ખરેખર આ અદ્ભુત પુસ્તક બન્યું છે. જગત કલ્યાણના આ મિશનમાં દાદાની કૃપા છે, નીરુમાના આશીર્વાદ છે ને દેવ-દેવીઓની આમાં જબરજસ્ત સહાય છે. એટલે આવા અનુપમ જ્ઞાની પુરુષની ઓળખાણ જગતને પડે એમાં આપણે તો મહેનત કરીએ છીએ પણ દેવ-દેવીઓ, દાદા ને નીરુમા આ બધાની અનેકગણી કૃપાથી સરસ કામ થઈ રહ્યું છે. આપણે તો આનંદ કરો ને દાદાના ગુણગાન ગાયા કરો. એ આરાધના કરતા કરતા, એમની ભજન-ભક્તિ કરતા કરતા, તે રૂપ થઈને રહીશું. દાદાની આપ્તવાણીઓ અને બીજી ચોપડીઓમાંથી આપણને જ્ઞાનકળા તો બહુ જાણવા-શીખવા મળે છે, પણ વ્યવહાર-કુટુંબ-ધંધામાં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે નિશ્ચયથી આપણે પાંચ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ તો કરતા હોઈએ છીએ, પણ વ્યવહારમાં હવે શું નિર્ણય 17
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy