SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જ્ઞાની પુરુષ (ભાગ-૧) દાદાશ્રી : એ તો દેવી જ કહેવાય ને ! એમના જ સંસ્કાર પ્રેરે ને મને. એવા ના હોય માણસ, ઓછા હોય. પ્રશ્નકર્તા : બહુ ઓછું, રેર (ભાગ્યે જ). દાદાશ્રી : એમના ફાધર ને મધર એ તો ઓર જાતના, દુનિયામાં જોવા જેવા માણસો, રાજેશ્રી ઘર હતું. એટલે ઊંચો માલ બધો, ચોખ્ખો માલ. એ રાવજીભાઈના ઘરની થાંભલીને ધન્ય છે ! એ ઘરમાં સદાવ્રત કાયમ ચાલુ જ રહેતા હતા. બા જે ઘેર રહેલા ને, ત્યાં એમના બાપાને ઘેર કાયમ સદાવ્રત હતું. હવે આવા સદાવ્રત હોય, ત્યાં આગળ મોટામોટા માણસનો જન્મ થાય હંમેશાં. પ્રશ્નકર્તા ઃ હા, ત્યાં દાદાનો જન્મ થયો. દાદાશ્રી : સદાવ્રત એટલે કોઈ ભૂખ્યું ના જાય પાછું. કોઈ સાધુ-સંન્યાસી આવ્યો હોય તેને ઉતારો આપે, જમાડે, તેનું ધ્યાન રાખે. પ્રશ્નકર્તા: પહેલાં અસલ ઘણાં લોકો એવું કરતા, કાયમ સદાવ્રત રાખતા. દાદાશ્રી : હા, તેથી બા જેવાનો ત્યાં અવતાર થાય ને, નહીં તો ના થાય ને ? પ્રશ્નકર્તા: એ પુણ્યનો લાભ મળે ને ! બાનું મોટું જોતા જ દુખિયો તે સુખિયો થાય દાદાશ્રી : મેં અમારા બા, ઝવેરબા જેવી કોઈ નારી જ જોઈ નથી. મારી માનું મોટું જોતા દુખિયો હોય, તે સુખિયો થઈ જાય એવા અમારા બા હતા. એમના ગુણોનું શું વર્ણન કરું ? અમારા ગામની સાત હજાર માણસની વસ્તી પણ મેં આવા મધર જેવા જોયા નહોતા. તે પાછું નિષ્પક્ષપાતી રીતે વિચાર કરી જોયેલો કે
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy