SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ મુકતતત્વમીમાંસા : વસ્તભાવસાર : એકાંત અનિત્યાદિ ૫ક્ષ અયુકત (૬૬૩) સ્વીકાર નહિ કરે, તે તે સદાય અસત્ જ સિદ્ધ થશે. આમ કાં તે વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિં. (૨) હવે જે ક્ષણિવાદી એમ કહે કે જે આગલી ક્ષણે છે તે જ છે નહિં.” તે “તે અન્યથા હોય છે” એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા–બીજી જ થઈ જતી હોય તે “તે” કેમ? અને તે હોય તે “અન્યથા–બીજી જ કેમ થાય? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તે તે જ છે તે તે કેમ “છે નહિં?” અને તે છે નહિ તે તે કેમ? એમ વદતે વ્યાઘાત થાય છે. (૩) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દોષ આવે છે, કારણ કે સતનું અસત્વ માને, તે અસત્વને ઉત્પાદ થશે, અર્થાત અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ, એ નિયમથી આ અભાવનો નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુને તે ને તે રૂપે પુનર્ભવ થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાબિત થશે. અને જે વસ્તુ સદા નાશવંત માને તે વિવક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હોય, અર્થાત્ તે સદા અભાવરૂપ સાબિત થશે. (૪) હવે જે એમ કહે કે તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળે છે, તે બીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હતાં આ ક્ષણરિથતિધર્મપણું આવીને ઊભું રહેશે. એટલે જે કહ્યું હતું તેમજ થશે. કારણ કે જ્યારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સતનું અસત્વ વગેરે જે કહ્યું હતું તે બધું ય બરાબર છે. અર્થાત્ કઈ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પર્ય કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી. તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કઈ રીતે ઘટતો નથી. કારણ કે (૧) અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એક ભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તે તેની કદી પણ નિવૃત્તિ નહિં એકાંત નિત્ય થાય, અર્થાત્ સદાય સંસારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની પક્ષ અયુક્ત ઉપપત્તિ થશે નહિં; કારણ કે એક સ્વભાવની બે અવસ્થા કરી હોય છે. એટલે સંસારી અને મુક્ત એમ બે અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઈ પડશે, માટે એક સ્વભાવથી બીજા સ્વભાવને ઉપમ તાવિક માનવ ઈષ્ટ છે. અર્થાત એક સ્વભાવ બીજા સ્વભાવને ખસેડી તેનું સ્થાન લે તે જ સંસારી ને મુક્ત એમ બે અવસ્થા ઘટી શકે, નહિં તે નહિં. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવૃત્ત છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. અર્થાત્ દિક્ષાદિ કારણ જ્યાંલગી ટળતું નથી ત્યાં લગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ કન્ય પ્રધાનાદિની પરિણતિ થતી નથી. નહિં તે દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણ એવી આ પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy