SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૦) યોગદષ્ટિસમુરચય આ મહાતત્ત્વજ્ઞાની પુરુષ બીજી બધી પંચાત છેડી દઈ, શુદ્ધ આત્મધ્યાનમાં લીન થાય છે, અને ધ્યાવે છે કે હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા આત્મતત્તવ છું. “આ મહારા સ્વરૂપથી૪ ચુત થઈ હું ઇદ્રિયદ્વારોથી વિષયમાં પતિતમીમાંસા પડી ગયો હતો. તે વિષયને પામીને હું” એમ મને મેં પૂર્વે તત્વથી ઓળખે નહિં ! જે અગ્રાહ્યને ગ્રડતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એવું સ્વસંવેદ્ય તે તહું છું. તત્ત્વથી બોધાત્મા-બેધસ્વરૂપ એવા મને સમ્યફપણે પેખતાં, રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે તેથી કઈ મહા શત્રુ નથી, કે કઈ મહારો પ્રિય મિત્ર નથી. મને નહિં દેખતે એ આ લેક નથી મહારો શત્રુ કે નથી મારે મિત્ર.” આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલ જ્ઞાની પુરુષ ભાવે છે કે-જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હુંજ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિ એમ સ્થિતિ છે. વિષયમાંથી મને પ્રશ્રુત કરાવી, સ્વારથી જ હારામાં સ્થિત એવા પરમાનંદમય બેધાત્માને હું પ્રપન્ન થયેલ છું, પ્રાપ્ત થયેલ છું.' ઇત્યાદિ પ્રકારે આત્મભાવનાના પરિભાવથી તે દર્શનમોહને ક્ષય કરે છે. અને તેથી કરીને દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વર્તે છે, એ પરમ સૂક્ષ્મબોધ તેને ઉપજે છે. એટલે પછી તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન પ્રવર્તે છે કે તે ચારિત્રહને પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ કરવા ભણી પ્રવર્તે છે. જેમકે— ચારિત્ર મહ પરાજય | સર્વ ભાવથી તે ઔદાસીન્ય વૃત્તિ-ઉદાસીન ભાવ કરે છે, અને તેને દેહ માત્ર સંયમના હેતુએ જ હોય છે, બીજા કેઈ કારણે તેને બીજું કાંઈ કલ્પતું નથી, અને દેહમાં પણ તેને કિંચિત્ મૂચ્છ હોતી નથી. મન, વચન, કાયાના સર્વત્ર દા યોગને તે જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે, અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની સીન્ય: ગુપ્તિ આત્મામાં સ્થિરતા કરે છે, તે પણ મુખ્યપણે તે દેહની સ્થિતિ પર્વતસમિતિ ચાવજજીવ વર્તે છે. તે આત્મસ્થિરતા એટલી બધી દઢ હોય છે કે ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી પણ તેને અંત આવી શકતો નથી. *"मत्त च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः ।। यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमरम्यहम् ॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः।। मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रन च पियः॥ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः। अहमेव मयोपास्या नान्यः कश्चिदिति स्थितिः॥ प्रच्याव्य विषयेभ्योऽहं मा मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy