SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિ : ભાગતત્ત્વની મેાક્ષમાર્ગે અપ્રગતિ-સ્થિતિ’ “ રાગ દ્વેષે ભર્યાં માહ વૈરી નડયો, લેકની રીતમાં ઘણુંય રાતા; ક્રોધ વશ ધમધમ્યા, શુદ્ધ ગુણ નવ રમ્યા, ભમ્યા ભવમાંહિ હુ' વિષય માતા.... તાર હેા તાર પ્રભુ! મુજ સેવક ભણી.”–શ્રી દેવચ'દ્રજી (૫૪૫) વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છ ંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવા પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લાભ કરતાં કે અન્યથા કરતાં તે માઠુ છે એમ યથાયેાગ્ય કાં ન જાણ્યુ^? અર્થાત્ એમ જાણવું જોઇતુ હતુ, છતાં ન જાણ્યુ. એ વળી ફરી પરિભ્રમણ કરવાના વૈરાગ્ય આપે છે.” ઈ. —શ્રીમદ્ રાજચ'દ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) અને પછી તે તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂઢ જીવને એટલે અધો રંગ લાગી જાય છે, એટલા બધા તન્મય રસ જામે છે, કે તેની પ્રાપ્તિમાં નિરતર નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજુ કાંઈ તે ખાપડા જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભોજનને સ્વાદ તેને સ્વપ્ને પણ લાધ્યો નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડયા રહેવુ ગમે છે, તેમ તેને વિષય -કદન્તમાં રચ્યા-પચ્યા રહેવુ ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિષ્ટાની સુગધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગધ જ સારી લાગે છે! “તેને સુંદર માને રાંક, ખીજું ન જાણે તેહ વરાક; સુસ્વાદુ ભોજનને સ્વાદ, સ્વપ્ને પણ એને ન પ્રાપ્ત.” ઉ. ભ. પ્ર. ૧ (ડો. ભગવાનદાસ મ. મહેતાકૃત અનુવાદ) આમ પરપરિણતિના રાગીપણે, પર રસર`ગે રક્ત થયેલેા આ જીવ, પર વસ્તુને ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભોગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યંત સ'સારમાં રખડે છે. અને આમ પેાતાનું આત્મદ્ગિત ચૂકી, આ મહામેહમૂઢ જીવ વેઠીઆ પેઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકના હેરાન હેરાન થાય છે! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે– પરપરિણતિ રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે ! પર કરતા પર ભોગતા, ક્ષ્ા થયા એઠુ સ્વભાવ ?....નાથ રે !”-શ્રી દેવચ`દ્રજી, “જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે. તેને ત્યાં જ સ્થિતિ હાય છે, એવા જે જિનનેા અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચા છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ (હાથનેાંધ, ૨–૧૯)
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy