SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાઃિ અઘસવે કુતર્કથહ નિવૃત્તિ (૩ર૩) વિષમ કુતર્કગ્રહ નિદા અધિકાર એટલા માટે જયલિંગે (જયના ચિહ્નો) કહે છે– जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥८६॥ એહ છંતાતાં નિયમથી, તત્વથી નરને સાવ સ્વયં નિવર્સે ગ્રહ સામે, વિષમ કુતર્ક ભાવ, ૮૬. અર્થ—અને આ અવેવસવેદ્યપદનો જય કરાતાં નિયમથી મનુષ્યને કુતર્ક વિષમ ગ્રહ તત્વથી અત્યંતપણે આપોઆપ નિવૃત્ત થાય છે–ટળે છે. વિવેચન તે છતે સહેજે ટળેજ, વિષમ કુતક પ્રકાર; દર નિકટ હાથી હણેજી, કરે એ બઠર વિચાર...મનમોહન”—શ્રી. એ દ. સ. ૪-૧૧ અને આ અદ્યસંવેદ્યપદ કે જે મહામિથ્યાત્વનું કારણ છે, અને પશુપણા આદિ શબ્દથી વાચ-ઓળખાવા યેચું છે, તે જ્યારે છતાતું જાય છે ત્યારે પરમાર્થથી પુરુષને વિષમ કુતર્કરૂપ ગ્રહ પોતાની મેળે જ ચેકસ નિતી જાય છે. ઉપમહામિથ્યાત્વ રમાં અત્યંત વિસ્તારથી અવેધસંવેદ્યપદનું વર્ણન કર્યું, તે ઉપરથી નિબંધન સ્પષ્ટ છે કે મહામિથ્યાત્વનું કારણ જે કઈ હોય, તે તે અવેદ્ય સંવેદ્યપદ જ છે. તેના પ્રભાવથી જ જીવ અનાત્મજ્ઞ હોય છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરે છે, સ્વ-પરને એકત્વ અધ્યાસ કરે છે, દેહને જ આત્મા માની આત્માનું ભાન ભૂલી જાય છે, સને અસત્ અને અસત્ સત્ ચિંતવે છે. ઈત્યાદિ પ્રકારે ગાઢ મિથ્યાપણાનું-અસત્પણાનું કારણ આ અદ્યસંવેદ્ય પદ છે. અને આવા અબૂઝપણાને લીધે જ એને પશુપણું, ગમારપણું, અબૂઝપણું, મૂઢપણું ઇત્યાદિ નામ છાજે છે. કારણ કે “પશુ જેવા અબૂઝનું જ્ઞાન બાહ્ય પદાર્થોથી સર્વથા પીવાઈ જાય છે ને નિજ દ્રવ્યક્તિ અર્થાત્ સ્વસ્વરૂપનું પ્રગટપણું છોડી દીધાથી ખાલી થતું જાય છે. આમ પર રૂપમાં જ વૃત્તિ-ગીયમને જ નિયમતસ્મિન–અને આ અસંવેદ્ય પદ નિયમથી છતાતાં; એટલે કે આ મહામિથ્યાત્વના નિબંધનરૂપ, પશુત્ર આદિ શબ્દથી વાય એવું અદ્ય પદ છતાતી વેળાએ, Rવર:-તરવથી, પરમાર્થથી, ઝૂનાં-નરોને, પુરુષોને, નિરવર્તતે થતદ-સ્વત: નિતે છે, આત્માથી જ પોતાની મેળે જ, પરના ઉપદેશ વિના નિવ' છે. ટળી જાય છે-નિમિત્તના અભાવે નૈમિત્તિકના અભાવને લીધે. અત્યંતં-અત્યંતપણે, સમજ્ઞાનયોગને લીધે, આગમ પ્રામાણ્યના જાણપણું થકી. જીતપિનાક-કતકરૂ૫ વિષમ ગ્રહ -દષ્ટ એવા અપાય હેતુપણાથકી. ( અપાય હતપણું પ્રગટ દીઠામાં આવતું હોવાથી. ) ગ્રહ જેવો ગ્રહ (ગ્રહ સૂર્ય ચંદ્રાદિ, અથવા ભૂત-પિશાચ, અથવા મગર.)
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy