SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૨) ગદષ્ટિસમુચ્ચય અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહને સંબંધ તે ઉલટે તેને બંધરૂપ નીવડે છે ! કારણ કે જે દેહને તેણે આટલે બધે ગાઢ સંબંધ રાખે, તે દેહ વેઠની પોઠ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે ? શું તે કાંઈ અકૃતજ્ઞ છે–શું કૃતપ્ત છે વારુ ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહને બંધસંબંધ છૂટ નથી; તે બંધ છે ત્યાંસુધી જન્મ-મરણ છૂટતા નથી; જન્મ મરણ છૂટતા નથી ત્યાંસુધી દુઃખ છૂટતું નથી અને આ જન્મ મરણ દુઃખ છૂટતું નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પોતાના માનેલા સંબંધી એવા દેહનો સબંધ જાળવવા ખાતર (!) પિતે પિતાને બાંધી પાપને પિટલે માથે ચઢાવી, વેઠની પિઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા ભવાભિનંદી જીવ સંસારમાર્ગમાં નિરંતર પરિભ્રમણનો ખેદ પામ્યા કરે છે! શ્રીમાન પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાર્યું છે કે “દેહમાં ૪ આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે; અને સ્વ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિજે છે–વિખૂટો પડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર સ્ત્રી વગેરે કલ્પનાઓ (Unrealities, Imaginations, Illusions) દેહમાં આત્મ- ઉપજી છે. અને તે કલ્પનાઓ વડે આત્માની–પિતાની સંપત્તિ માનતું બુદ્ધિથી જ આ અભાગીયું જગત્ અરેરે ! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું સંસાર મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છેડીને, હારમાં ઇન્દ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરે.” પણ ભવાભિનંદી જીવને તે દેહમાં આત્મબુદ્ધિ હોય છે. અને આવી વિપર્યાસરૂપ ઉલટી બુદ્ધિથી તે દેહ સાથે બંધાઈને સંસાર પરિભ્રમણ દુઃખ પામે છે. આમ વિપર્યાસથી અવિવેક, અવિવેકથી વર્તમાનને જ દેખનારી મિથ્યા પ્રવૃત્તિ, અને મિથ્યા પ્રવૃત્તિથી સંસાર ખેદ ઉપજે છે, એમ સ્પષ્ટ થયું. जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः ।। ७९ ।। વૃત્તિ –નમ-જન્મ, પ્રાદુર્ભાવ-જન્મવું જેનું લક્ષણ છે તેનું મૃત્યુ:-મૃત્યુ, પ્રાણત્યાગરૂપ, કરા-જા, ઘડપણુ, વયહાનિરૂપ વૃદ્ધાવસ્થા, કથાધિ-વ્યાધિ કે વગેરે લક્ષણવાળે, રોગ-રોગ, વિશચિકા વગેરે આતંક–અસંત તીવ્ર આવેગવાળી પીડા, શોક:-શાક ઈષ્ટવિયાગ વગેરેથી ઉપજ મને વિકાર માહિ-આદિ શબ્દથી ગ્રહ આદિનું ગ્રહણ છે, એએથી- કૂત-ઉપદ્રવ પામી રહેલા x " देहे स्वबुद्धिरात्मानं युनत्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ।। देहेष्वास्मधिया जाताः पुत्र भार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यत्क्वैर्ना प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।। –શ્રી સમાધિશતક,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy