SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગદષ્યિસમુચ્ચય ૩૨. - ૩૩. ૩૩. ૩૪. સોના અમલ જલથી ચિત્તનો મેલ છે, શૌચાચારે શુચિ રુચિ અતિ વેગ આ શુદ્ધ હવે સૂગાતે તે અશુચિ તનથી, શુદ્ધ નિર્લભ ભાવે, સવવૃદ્ધિ સુમનપણું ને યોગ્યતા યોગ પાવે સંતોષી આ ક્ષણ પણ તણાયે ન તૃષ્ણા-તરંગે. આત્મામાંહી નિત રત રહે તુષ્ટ સંવેગ રંગ; મર્યાદા તે પરિગ્રહ તણું નિયમે નિત્ય આણે, તૃષ્ણ ખાડે કઠિન પૂરવો જાણું સંતોષ માણે. સમ્યજ્ઞાને યુત તપ તપે શક્તિ શું આ યશસ્વી, ને આત્મામાં તપથી પ્રતાપે આ પ્રતાપી તપસ્વી; સતુશાસ્ત્રોનું મનન કરતે એહ સ્વાધ્યાય ધ્યાવે, દેહાધ્યાસ ત્યૐ જપ જપે ભાવના આત્મભાવે. જેનું શુદ્ધ સ્વરૃપ પ્રગટયું, જ્ઞાન અધુર્ય જેનું, યોગીન્દ્રો ધર મન ધરી ધારતા ધ્યાન જેનું, એવા સાચા ઈશવર ગુણે ચિત્તસંધાન જામે, ગાતાં ધ્યાતાં ભજન કરતાં આત્મનું ભાન પામે. યોગે ધારે નહિં અણગમે, વેઠ તે નાજ કાઢે, કિંતુ તેમાં દિન દિન પ્રતિ ભક્તિ ઉલ્લાસ વાધે; હું છું કોણ? સ્વરૂપ મુજ શું? જાણવા તત્ત્વ ખંખે, - ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકે જેમ કંખે. સોની અમૃત સરખી સકથાઓ ગમે છે, જાણ તેને દુરલભ અતિ ચિત્ત તેમાં રમે છે; કામાદિની વિષ સમ કથામાંહિ ના ચિત્ત ચોંટે, સૌએ ચાખી ફરી ફર ફરી એઠને કણ બોટે ? સાચા જોગીજન મહત જે શુદ્ધ સોગ સાધે, તેને પ્રત્યે નિત નિત બહુ ભક્તિ સન્માન વાધે; સેવા તેની વિનયથી કરે શક્તિશું ભક્તિભાવે, ને આત્માને અનુગ્રહ કરૂં ચિત્તમાં એમ ધ્યાવે. ૩૫. ૩૬. ૩૭. ૩૮.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy